Rohit Sharma Future: ભારતીય ટીમે ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે કારમી હાર આપીને સિરીઝમાં 3-0 થી ક્લીન સ્વીપ કર્યું છે. આ શાનદાર જીત બાદ કેપ્ટન શુભમન ગિલે ટીમમાં ઓપનિંગ કોમ્બિનેશન અને રોહિત શર્માના ભવિષ્ય વિશે ખુલીને વાત કરી હતી. સાથે જ તેણે વિરાટ કોહલીની ગેરહાજરીમાં શાનદાર સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલના પણ વખાણ કર્યા હતા. આ સિરીઝની જીત સાથે જ ભારતે હવે આગામી 2027 વનડે વર્લ્ડ કપ અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે.

Continues below advertisement

રોહિત શર્માનું ફોર્મ અને ઓપનિંગનો 'માથાનો દુખાવો'

ત્રીજી મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન ગિલને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઓપનિંગ કોમ્બિનેશન વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. ગિલે કહ્યું કે, "જ્યારે ટીમના તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હોય, ત્યારે કોને રમાડવા તે નક્કી કરવું એક સારો માથાનો દુખાવો બની જાય છે." અફઘાનિસ્તાન સામેની પહેલી બે મેચમાં રોહિત શર્મા કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો, પરંતુ ત્રીજી મેચમાં તેણે ફોર્મમાં પરત ફરતા 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આખી સિરીઝની 3 મેચમાં રોહિતના ખાતામાં કુલ 143 રન નોંધાયા છે.

Continues below advertisement

કોહલીની ગેરહાજરી અને જયસ્વાલની કમાલ

આ સિરીઝમાં વિરાટ કોહલી નહોતો રમી રહ્યો, જેનો સીધો ફાયદો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને મળ્યો. જયસ્વાલે ત્રીજી વનડેમાં અણનમ 110 રન ફટકારીને પોતાની વનડે કરિયરની બીજી સદી પૂરી કરી હતી. ગિલે જયસ્વાલ વિશે વાત કરતા તેને થોડો કમનસીબ પણ ગણાવ્યો હતો. તેણે કહ્યું કે, "જ્યારે ટીમના તમામ સિનિયર ખેલાડીઓ હાજર હોય છે, ત્યારે કમનસીબે યશસ્વી જેવા ટેલેન્ટેડ ખેલાડીને પ્લેઇંગ ઇલેવનની બહાર બેસવું પડે છે. વિરાટ ભાઈ આ સિરીઝમાં નહોતા એટલે જયસ્વાલને બે મેચ રમવાની તક મળી અને આજે તેણે કમાલ કરી દીધી. આશા છે કે તે પોતાનું આ શાનદાર ફોર્મ જાળવી રાખશે અને ભવિષ્યમાં પણ મળતી તકોનો આવો જ ફાયદો ઉઠાવશે."

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની ODI માંથી બહાર, વિરાટ કોહલીની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ

વર્લ્ડ કપની તૈયારી અને આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ

અફઘાનિસ્તાન સામે નવા ખેલાડીઓને તક આપીને ટીમ મેનેજમેન્ટ 2027 ના વનડે વર્લ્ડ કપ માટે અત્યારથી જ બેસ્ટ કોમ્બિનેશન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કેપ્ટન ગિલે માહિતી આપતા જણાવ્યું કે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટેની ટીમની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાનો આ ઇંગ્લેન્ડ પ્રવાસ 1 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં પહેલા 5 મેચની T20 સિરીઝ રમાશે અને ત્યારબાદ 14 થી 19 જુલાઈ વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાશે.

આ પણ વાંચોઃ IND A vs AFG A: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત