Virat Kohli and Rohit Sharma ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. તે પહેલા, ભારતીય કેપ્ટન શુભમન ગિલે ODI ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના મહત્વ વિશે વાત કરી. ગિલે જણાવ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ભારતીય ટીમને મહત્વપૂર્ણ જીત અપાવી છે અને ટીમને તેમની જરૂર છે. તેમણે રોહિત શર્માના નેતૃત્વની પણ પ્રશંસા કરી. શુભમન ગિલ ભારતીય ODI ટીમનો કેપ્ટન પણ બન્યો છે. તે 19-25 ઓક્ટોબર સુધી ચાલનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

Continues below advertisement

 

શુભમન ગિલ રોહિત અને વિરાટ વિશે શું બોલ્યો?શુભમન ગિલે કહ્યું, "રોહિત ભાઈ જે રીતે તેમના શાંત સ્વભાવ અને ટીમમાં તેમના દ્વારા મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવામાં આવે છે હું પણ તેમનું અનુકરણ કરવા માંગુ છું. મારી પોતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું મારા માટે એક મોટો પડકાર રહેશે. હું બધા ફોર્મેટમાં રમતી વખતે ICC ટ્રોફી જીતવા માંગુ છું." રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય વિશે, શુભમન ગિલે કહ્યું, "બંનેએ ભારતીય ટીમ માટે અસંખ્ય મેચો જીતી છે. બહુ ઓછા ખેલાડીઓ પાસે આવી પ્રતિભા અને અનુભવ છે. આપણને બંનેની જરૂર છે."

ભારત ટેસ્ટ શ્રેણીમાં 1-0 થી આગળ છે.ભારતીય ટીમે અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી હરાવ્યું હતું. તે મેચમાં, ભારત માટે કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ એક જ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. બીજી ટેસ્ટ આવતીકાલે, 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે. બીજી ટેસ્ટ પહેલા, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હીમાં તેમના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ટીમ ઈન્ડિયા અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ હાજર રહ્યા હતા.