SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનની પ્રથમ જીત નોંધાવી, ત્રીપાઠીના 74 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 14મી મેચ  સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 09 Apr 2023 11:48 PM
હૈદરાબાદની 8 વિકેટે જીત

IPLની 16મી સિઝનમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમે પંજાબ કિંગ્સ (PBKS) સામે હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે મેચ જીતી, સતત 2 હારનો સિલસિલો તોડી નાખ્યો. આ સિઝનમાં હૈદરાબાદની ટીમની આ પ્રથમ જીત છે. હૈદરાબાદની ટીમને આ મેચમાં 144 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 17.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાંસલ કરી લીધો હતો. રાહુલ ત્રિપાઠીના બેટમાંથી શાનદાર અડધી સદીની ઇનિંગ જોવા મળી હતી. તે 74 રને નોટ આઉટ રહ્યો હતો.

હૈદારાબાદને જીતવા માટે 144 રનનો ટાર્ગેટ

પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 143 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ હૈદારાબાદને જીતવા માટે 144 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ તરફથી શિખર ધવને શાનદાર ઈનિંગ રમતા અણનમ 99 રન બનાવ્યા હતા. 

શિખર ધવનની અડધી સદી

શિખર ધવને પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી છે. તેણે 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. આ સાથે પંજાબનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ધવન સિવાય પંજાબના તમામ બેટ્સમેન ફ્લોપ રહ્યા છે. 

પંજાબની આઠ વિકેટ 78 રનમાં પડી ગઈ હતી

78 રનના સ્કોર પર પંજાબ કિંગ્સની આઠ વિકેટ પડી ગઈ હતી. રાહુલ ચહરે આઠ બોલનો સામનો કર્યો, પરંતુ ખાતું ખોલાવી શક્યો નહીં. પંજાબ કિંગ્સની શરુઆત ખૂબ જ ખરાબ થઈ હતી. 

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો

સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ કિંગ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે.

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 14મી મેચ  સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.  હૈદરાબાદની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સતત 2 મેચ જીત્યા બાદ પંજાબ કિંગ્સની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. આવી સ્થિતિમાં શિખર ધવનની ટીમ જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે. પંજાબ કિંગ્સે પોતાની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 5 રને પરાજય થયો હતો.


જ્યારે IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની જીતનું ખાતું પણ ખુલ્યું નથી. હૈદરાબાદની ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદને પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.


પિચ રિપોર્ટ


હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકૂળ છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો અહીં અસરકારક સાબિત થાય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.



IPL 2023માં બંને ટીમોએ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની જીતનું ખાતું હજુ ખોલવાનું બાકી છે. પંજાબ કિંગ્સની ટીમ આ સીઝનમાં બંન્ને મેચ જીતવામાં સફળ રહી હતી. રવિવારે પંજાબ કિંગ્સ સામેની આ મેચમાં સનરાઈઝર્સ સામે યોગ્ય ટીમ કોમ્બિનેશન પસંદ કરવાનો પડકાર હશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.