Arshdeep Singh-Tilak Varma Viral Video: અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને રીલ્સ/મીમ્સ વગેરે શેર કરતા રહે છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચ પહેલા પણ તેમણે સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ તિલક વર્મા પર વંશીય ટિપ્પણી કરતો જોવા મળ્યો હતો. ચોક્કસપણે આ બે મિત્રો વચ્ચેની મજાક હતી, પરંતુ લોકો આના પર ભડકી ગયા અને અર્શદીપની ટીકા કરવા લાગ્યા.
પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની મેચ ગુરુવારે ધર્મશાળામાં રમાઈ હતી, જેમાં તિલક વર્માએ 75 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. વાયરલ વીડિયો મેચ પહેલાનો છે, જ્યારે અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી નમન ધીર સાથે બેઠા હતા. તિલક વર્મા જ્યારે તેમની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અર્શદીપે તેમને 'ઓય અંધેરે' કહીને પોતાની પાસે બોલાવ્યો હતો.
અર્શદીપે તિલક પર કરી વંશીય ટિપ્પણી
અર્શદીપ અહીં જ અટક્યો નહીં. જ્યારે તિલક તેમની પાસે આવ્યો તો તેમણે કહ્યું કે, "સનસ્ક્રીન નથી લગાવી શું." ત્યારે તિલક હળવા સ્મિત સાથે એક કંપનીનું નામ જણાવતા કહે છે કે લગાવી લીધી છે. પછી અર્શદીપ નમન ધીર તરફ ઈશારો કરીને કહે છે કે, "આ હોય છે અસલી નૂર (ચમક), અને આ (તિલક વર્મા તરફ) હોય છે નકલી નૂર."
વીડિયો પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અર્શદીપ તિલક વર્માના રંગની મજાક ઉડાવી રહ્યો હતો, તેમણે પોતે જ આ વીડિયો શેર પણ કર્યો હતો. પરંતુ લોકો આના પર ગુસ્સે ભરાયા છે.
એક યુઝરે X પર લખ્યું: "સાચું કહું તો આ બિલકુલ અર્થહીન છે. આ વીડિયોમાં અર્શદીપ સિંહ સ્પષ્ટપણે તિલક વર્માની મજાક ઉડાવી રહ્યો છે. એક દિવસ સોશિયલ મીડિયા પર આ પ્રકારનું વર્તન તેમને ખરેખર મુશ્કેલીમાં મૂકી દેશે. યુઝવેન્દ્ર ચહલ આ વાતનું એકદમ સાચું ઉદાહરણ છે કે વસ્તુઓ કેટલી ઝડપથી બદલાઈ શકે છે."
અન્ય એક યુઝરે લખ્યું, "અર્શદીપ સિંહે આ બકવાસ બંધ કરી દેવી જોઈએ. મજાકના નામે કોઈને હેરાન કરવા તે બિલકુલ યોગ્ય નથી."
એક અન્ય યુઝરે લખ્યું, "અર્શદીપ સિંહે સીધું તિલક વર્મા સામે જોયું અને કહ્યું, 'ઓય અંધેરે, સનસ્ક્રીન નથી લગાવી.' તિલકના ચહેરા પર દેખાતી પીડા અને અસ્વસ્થતાએ બધું જ કહી દીધું. તે આહત હતા અને આ વાતથી બિલકુલ ખુશ નહોતા. આ કોઈ હસી-મજાક નહોતી, પરંતુ સંપૂર્ણપણે વંશીય કટાક્ષ હતો."
