India vs Sri Lanka 3rd T20 Match Rajkot: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝ રમાઇ રહી છે, પ્રથમ મેચમાં ભારતીય ટીમે જીત હાંસલ કરી, તો બીજી ટી20માં શ્રીલંકાન ટીમે જીત મેળવી છે, હવે બન્ને ટીમો ત્રણ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર આવી ગઇ છે. આગામી 7મી જાન્યુઆરીએ બન્ને ટીમો વચ્ચે ફાઇનલ ટી20 મેચ રાજકોટમાં રમાશે. જાણો અહીં રેકોર્ડ વિશે..... 


આ નિર્ણાયક મેચ પહેલા અત્યાર સુધીના રેકોર્ડ પર એક નજર નાંખીએ તો ભારત માટે સારા સમાચાર છે કેમ કે અહીં ભારતનું પલડુ ભારે છે, ટીમ ઇન્ડિયાએ અહીં 4માંથી 3 ટી20 મેચોમાં જીત હાંસલ કરી છે.  


ભારતે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધી કુલ 4 ઇન્ટરનેશનલ મેચો રમી છે, આ દરમિયાન 3 મેચોમા જીત નોંધાવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ટીમ ઇન્ડિયાએ અહીં પહેલી ટી20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી, તે ઓક્ટોબર 2013માં રમાઇ રહી, અને આ મેચમાં ભારતે 6 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી બીજી મેચ નવેમ્બર 2017 માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી, આ મેચમાં ભારતને 40 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ટીમ ઇન્ડિયાએ 2019 અને 2022 માં મેચો જીતી - 
આ પછી ભારતે બાંગ્લાદેશને અહીં 8 વિકેટથી અને દક્ષિણ આફ્રિકાને 82 રનોથી હરાવ્યુ હતુ. હવે ટીમ ઇન્ડિયા રાજકોટમાં શ્રીલંકા વિરુદ્ધ મેચ રમાશે. શ્રીલંકન ટીમ આ દરમિયાન પહેલીવાર આ મેદાન પર કોઇ મેચ રમશે. અહીં ત્રણ મેચોની ટી20 સીરીઝીની ફાઇનલ મેચ રમાવવાની છે.