T20 World Cup, 2022 India vs Pakistan: ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને અંતિમ મેચ 13 નવેમ્બરે રમાશે. ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. જેને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારત-પાક મેચની તમાત ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ છે.


ફાઇનલની ટિકિટો પણ વેચાઈ ગઈ


ટી-20 વર્લ્ડ કપ 2022માં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આ માહિતી ટૂરિઝમ ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી મળી છે. સમાચાર મુજબ ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલની ટિકિટો પણ લગભગ પૂરી રીતે વેચાઈ ગઈ છે.


ભારત-પાકિસ્તાન મુકાબલાની છે રાહ


ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ રોમાંચક મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. એશિયા કપ આ વખતે શ્રીલંકામાં જ રમાવાનો છે, જોકે તેનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.


જનરલ ટિકિટો સંપૂર્ણ વેચાઈ ગઈ


ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ કંપનીના જણાવ્યા અનુસાર 40 ટકા પેકેજ ભારતમાં ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર અમેરિકામાં 27 ટકા, ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને ઇંગ્લેન્ડ સહિત અન્ય દેશોમાં 15 ટકા પેકેજ ખરીદવામાં આવ્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. ભારત-પાક મેચ માટેની સામાન્ય ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે, કેટલીક વીઆઈપી ટિકિટો બાકી છે.


ભુવનેશ્વર કુમારે બનાવ્યો મોટો રેકોર્ડ, T20I માં આમ કરનારો બન્યો પ્રથમ બોલર


ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામમાં રમાયેલી બીજી T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 3 મેચની શ્રેણીમાં 0-2ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 121 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ખતરનાક બોલિંગ કરી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી.


ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ માટે જેસન રોય અને જોસ બટલર ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોય ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જ્યારે બટલર 4 રન બનાવીને આઉટ થયો હતો. ડેવિડ મલાને 19 રનની ઇનિંગ રમી હતી. તેણે 25 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 15 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 21 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સેમ કુરન 2 રન અને હેરી બ્રુકે 8 રન બનાવીને આઉટ થયા હતા. ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


ભુવનેશ્વર કુમારે બનાવ્યો આ રેકોર્ડ


ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે ખતરનાક બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 વિકેટ લીધી હતી. ભુવીએ પ્રથમ ઓવર મેડન નાંખી હતી. આ સાથે તેણે ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તે ટી20 ઈન્ટરનેશલનેલ ઈતિહાસમાં પાવરપ્લેમાં 500 ડોટ બોલ નાંખનારો પ્રથમ બોલર છે.


રોહિત શર્માએ બનાવ્યો આ રેકોર્ડ


રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે પ્રથમ ચોગ્ગો ફટકારતા જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ સિવાય તે આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ (PR સ્ટર્લિંગ) એ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.