Ind vs Pak Clash: T20 વર્લ્ડ કપ -2021 (T20 વર્લ્ડ કપ) માં  આજે  ભારત અને પાકિસ્તાન  વચ્ચે મુકાબલો છે. આ શાનદાર મેચ પહેલા ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે ટ્વીટ કર્યું છે. તેણે પાકિસ્તાનને ટોણો માર્યો છે.



તેણે કહ્યું કે જો પાકિસ્તાન હારી જશે તો ત્યાંના પ્રશંસકો ટીવી તોડી નાખશે. તમને જણાવી દઈએ કે ભારતની હાર બાદ અવારનવાર પાકિસ્તાની પ્રશંસકોની ટીવી તોડતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે અને ઈરફાન પઠાણે તેના પર નિશાન સાધ્યું છે. ઈરફાને રવિવારે ટ્વિટ કર્યું હતું કે, 'જો તેઓ (પાકિસ્તાન) જીતે તો દિલ તૂટી જશે અને જો આપણે જીતીશું તો ટીવી'. 



T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, ક્રિકેટ ચાહકો આ મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કાશ્મીર સરહદે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અને પરપ્રાંતિય શ્રમિકોની હત્યા અને દેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. વિશ્વમાં જયાં જયાં ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો વસતા હશે ત્યાં અત્યારથી જ તેઓના દિલની ધડકન વધવાની શરૂ થઈ ચૂકી છે.


 


કેટલા વાગે શરૂ થશે મેચ


ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ટોસ 7 કલાકે થશે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરશે.


કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ