Virender Sehwag:

  ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પાસે એક ખાસ માંગણી કરી છે. તેણે ભારતીય ટીમની જર્સી પર 'ઈન્ડિયા'ના બદલે 'ભારત' લખવાનું કહ્યું છે. સેહવાગે કહ્યું કે ભારત નામ અંગ્રેજોએ આપ્યું હતું. તેણે વર્લ્ડ કપ માટે જાહેર કરાયેલી ભારતીય ટીમ માટે BCCIને પણ ટ્રોલ કર્યું હતું. સેહવાગે કહ્યું- ટીમ ઈન્ડિયા નહીં ટીમ ભારત છે.


સેહવાગ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, “હું હંમેશા માનું છું કે નામ એવું હોવું જોઈએ કે જેનાથી આપણને ગર્વ થાય. આપણે ભારતીય છીએ, ઈન્ડિયા એ અંગ્રેજોએ આપેલું નામ છે અને આપણું મૂળ નામ 'ભારત' પાછું મેળવવામાં ઘણો સમય લાગ્યો છે. હું BCCI અને જય શાહને વિનંતી કરું છું કે આ વર્લ્ડ કપમાં આપણા ખેલાડીઓની છાતી પર ભારત હોય તે સુનિશ્ચિત કરે.




સેહવાગે ઘણા ઉદાહરણો આપ્યા


સેહવાગે આગળ લખ્યું, “1996 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સ વર્લ્ડ કપમાં હોલેન્ડ તરીકે રમવા માટે ભારત આવી હતી. જ્યારે અમે તેમને 2003માં રમ્યા હતા, ત્યારે તેઓ નેધરલેન્ડ હતા અને તેઓ હજુ પણ એવા જ છે. બર્મા બ્રિટિશ દ્વારા આપવામાં આવેલા નામમાંથી મ્યાનમારમાં પાછું આવ્યું છે અને અન્ય ઘણા લોકો તેમના મૂળ નામ પર પાછા ફર્યા છે.


બીસીસીઆઈની ટ્વિટ શેર કરતા સેહવાગે લખ્યું, "ટીમ ઈન્ડિયા નહીં ટીમ ભારત છે. જ્યારે આપણે આ વર્લ્ડ કપમાં કોહલી, રોહિત, બુમરાહ, જાડેજાનું નામ લઈએ છીએ, ત્યારે મને આશા છે કે આપણા દિલમાં ભારત હશે અને ખેલાડીઓએ ભારત લખેલી જર્સી પહેરવી જોઈએ.