Cheteshwar Pujara Replacement For West Indies Series: ટીમ ઇન્ડિયા આગામી સમયમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ક્રિકેટ રમવાવી છે. આગામી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે સિલેક્ટર્સ દ્વારા 23 જૂને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં મળેલી હાર બાદ ટીમમાં કેટલાય મોટા ફેરફારો જોવા મળ્યા છે. ચેતેશ્વર પુજારા સતત ખરાબ પ્રદર્શનને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આવામાં હવે તમામની નજર વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર રમાનારી ટેસ્ટ સીરીઝમાં નંબર 3ની પૉઝિશન પર ટકી છે, કે કયા બેટ્સમેનને તક મળશે આ નંબર પર રમવાની.... 


નંબર 3ની રેસમાં અત્યારે એક બે નહીં પરંતુ 5 ખેલાડીઓના નામ ટૉપ પર છે. જેમને આ નંબર પર બેટિંગ કરવાની તક મળી શકે છે. આ રેસમાં ડાબોડી યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જાયસ્વાલનુ નામ ટૉપ પર છે. જાયસ્વાલને આ 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ માટે હોવાથી જાયસ્વાલને ઓપનિંગમાં તક મળશે નહીં. આવામાં તેને 3 નંબર પર અજમાવી શકાય છે. જાયસ્વાલે તાજેતરમાં ઈરાની કપમાં નંબર 3 પૉઝિશન પર બેટિંગ કરતા બંને દાવમાં સદી ફટકારી હતી.


ઋતુરાજ ગાયકવાડની પાસે પણ મોકો - 
IPLની 16મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજ ગાયકવાડને ટેસ્ટ ટીમમાં પણ જગ્યા મળી છે. રેડ બૉલ ક્રિકેટમાં ગાયકવાડ નંબર 3 પર રમે છે અને આ રીતે તેને આ નંબર પર રમવાનો અનુભવ પહેલેથી જ છે. ગાયકવાડના નામે પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 6 સદી નોંધાયેલી છે.


વળી, આ 2 યુવા ખેલાડીઓ ઉપરાંત ભારતીય ટીમ પાસે નંબર 3 સ્થાન માટે અનુભવી ખેલાડીઓના રૂપમાં 3 મહત્વપૂર્ણ ઓપ્શન છે. આમાં પહેલું નામ શુભમન ગીલનું છે, જેને નવા બૉલ સાથે રમવાનો અનુભવ છે અને તે જૂના બોલ સાથે તે ખુબ સારી રમત બતાવે છે.


આ ઉપરાંત ચોથા અને પાંચમા નંબર પર રમી રહેલા વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેને નંબર 3 પર બેટિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સાથે ટીમના મીડલ ઓર્ડરમાં નવા ખેલાડીને સામેલ કરવાની તક મળવાની સાથે તેના પરનું દબાણ પણ ઓછું થશે.


                                                                                                                                                     


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial


-