IND vs SL 3rd T20I Weather: ત્રણ મેચોની સીરીઝમાં ત્રીજી અને અંતિમ ફાઇનલ ટી20 7 જાન્યુઆરી શનિવારના રોજ એટલે કે આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન  સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા અહીં હવામાન અંગે મોટુ અપડેટ સામે આવ્યુ છે, જાણો આજની મેચમાં વરસાદ વિઘ્ન બનશે કે નહીં ? હવે આગામી મેચ બંને ટીમો માટે કરો યા મરોની રહેશે. 


ફાઇનલ ટી20માં વરસાદ બનશે વિઘ્ન ?
હવામાન અપડેટ પ્રમાણે, આજની મેચમાં વરસાદ કે અન્ય કોઈ રીતે હવામાન મેચમાં ખલેલ પહોંચાડે તેવું લાગતું નથી. વેધર ડોટ કોમ મુજબ મેચના દિવસે એટલે કે 7 જાન્યુઆરીએ રાજકોટનું તાપમાન દિવસ દરમિયાન 32 ડિગ્રી સુધી પહોંચી જશે. તે જ સમયે, તે રાત્રે 17 ડિગ્રી સુધી નીચે જશે. આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન વરસાદની સંભાવના માત્ર 2 ટકા રહેશે જ્યારે રાત્રે તે ઘટીને 1 ટકા થઈ જશે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 46 ટકા રહેશે અને રાત્રે તે વધીને 57 ટકા થશે. આ સિવાય 10-15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ રિપોર્ટને જોતા એવું લાગે છે કે નિર્ણાયક મેચમાં હવામાન કોઈ અડચણ ઉભી નહીં કરે.


બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર  - 
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાની ટીમે 16 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગનું આમંત્રણ મળતા શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ઓવરના અંત સુધી 8 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી. આ મેચમાં જીત સાથે શ્રીલંકાએ શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે.