ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી બે મેચ બાદ 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનું બેટ પહેલી બે વનડેમાં પૂરજોશમાં હતું, બંને મેચમાં સદી ફટકારી હતી. હવે દરેક વ્યક્તિ ત્રીજી મેચમાં પણ તેની પાસેથી સદીની અપેક્ષા રાખી રહ્યા છે. કોહલી પાસે તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં બીજો એક સીમાચિહ્ન હાંસલ કરવાની તક પણ હશે, જે અત્યાર સુધી ફક્ત બે ખેલાડીઓએ જ હાંસલ કરી છે.

Continues below advertisement

જો કોહલી 90 રન બનાવશે તો તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વ ક્રિકેટમાં ત્રીજો ખેલાડી બનશે

વિરાટ કોહલી  જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટી20 અને ટેસ્ટ બંને ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, તે હવે ફક્ત વનડેમાં જ રમે છે, જ્યાં દરેકને અપેક્ષા છે કે તે 2027ના વનડે વર્લ્ડ કપ સુધી રમતા રહેશે. કોહલી પાસે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ઓડીઆઈમાં બીજો એક મોટો સીમાચિહ્ન હાંસલ કરવાની તક હશે, જેના માટે તેને ફક્ત 90  રનની જરૂર છે. જો કોહલી આમ કરવામાં સફળ થાય છે, તો તે વિશ્વ ક્રિકેટમાં 28,000 આંતરરાષ્ટ્રીય રનના સીમાચિહ્ન સુધી પહોંચનાર ફક્ત ત્રીજો ખેલાડી બનશે. અત્યાર સુધી, ફક્ત બે ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે: ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, જ્યારે બીજો શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા. કોહલી પાસે હવે આ યાદીમાં સામેલ થવાની તક છે. જો વિરાટ કોહલી વિશાખાપટ્ટનમ મેચમાં 90 રન બનાવશે તો આ દિગ્ગજોની યાદીમાં તે સામેલ થઈ જશે. 

Continues below advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

સચિન તેંડુલકર (ભારત) - 34357 રનકુમાર સંગાકારા (શ્રીલંકા) - 28016 રનવિરાટ કોહલી (ભારત) - 27910 રનરિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 27483 રનમહેલા જયવર્ધને (શ્રીલંકા) - 25957 રન

વિશાખાપટ્ટનમમાં કોહલીનું બેટ સારુ ચાલે છે

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ત્રીજી વનડે રમશે, જ્યાં વિરાટ કોહલીનું બેટ અત્યાર સુધી સારુ  ચાલે  છે. કોહલીએ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ સાત વનડે રમી છે, જેમાં તેણે 97.83  ની સરેરાશથી 587  રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. કોહલીના ફોર્મને જોતાં આ મેચમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખી શકાય છે. જો કોહલી  મેચમાં પણ સદી ફટકારે છે તો ઈતિહાસ રચાશે.