Rishabh Pant At NCA:  એશિયા કપ શ્રીલંકા અને પાકિસ્તાનમાં યોજાવાનો છે. જો કે ભારતીય ટીમ પોતાની મેચો શ્રીલંકાની ધરતી પર રમશે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં ઋષભ પંત ભારતીય ખેલાડીઓ સાથે જોવા મળી રહ્યો છે. ભારતીય ખેલાડીઓ શ્રીલંકા જવા રવાના થાય તે પહેલા પંત બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં ટીમ સાથે જોવા મળ્યો હતો. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.






પંતે ભારતીય ટીમના ખેલાડીઓ સાથે મુલાકાત કરી


તાજેતરમાં જ ઋષભ પંતની સર્જરી થઈ હતી. જે બાદ આ વિકેટકીપર બેટ્સમેન રિકવરી કરી રહ્યો છે. જો કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ શ્રીલંકા જવા રવાના થાય તે પહેલા ઋષભ પંત બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં સાથી ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના સભ્યોને મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ઋષભ પંત એક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ તે મેદાન પર દેખાયો નહોતો. ભારતીય ચાહકો માટે સારા સમાચાર છે કે ઋષભ પંત ઝડપથી સ્વસ્થ થઇ રહ્યો છે.


ભારત-પાકિસ્તાન મેચ પર ચાહકોની નજર


ઉલ્લેખનીય છે કે એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમ નેપાળ સામે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ભારતીય ટીમ એશિયા કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારતીય ટીમ કેન્ડીમાં પાકિસ્તાન સામે ટકરાશે. એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.


આ વખતે એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. છેલ્લી વખત જ્યારે વર્ષ 2018માં વન-ડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય ટીમે રોહિત શર્માની કપ્તાનીમાં ખિતાબ જીત્યો હતો. એશિયા કપ 2023માં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે, જેને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-Aમાં પાકિસ્તાન, નેપાળ અને ભારત છે, જ્યારે અફઘાનિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશને ગ્રુપ-બીમાં રાખવામાં આવ્યા છે.


ગ્રુપ મેચો સમાપ્ત થયા પછી, બંને ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-4 સ્ટેજ માટે પોતપોતાનું સ્થાન નિશ્ચિત કરશે. આ પછી, તમામ ટીમો વચ્ચે વન-ઓન-વન મેચો રમાશે અને આ તબક્કામાં ટોપ-2 ક્રમાંકિત ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે. જ્યાં સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ મેચ રમાશે. આ સિવાય બંને ટીમો વચ્ચે સુપર-4ની મેચ 10 સપ્ટેમ્બરે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે યોજાય તેવી શક્યતા છે