Wasim Akram On IND vs PAK: ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે એશિયા કપમાં સામ સામે ટકરાશે. આ પહેલા ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ ભારત-પાકિસ્તાન મેચ પર સતત તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જો કે હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે ભારત-પાકિસ્તાન મેચ પર વાત કરી છે. એક પત્રકારે વસીમ અકરમને પૂછ્યું કે ભારત-પાકિસ્તાન મેચ પર ચાહકોની નજર હોય છે, ચાહકો આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ ટૂર્નામેન્ટની અન્ય ટીમોની મેચોને મહત્વ કેમ નથી મળતું?                                                   


'...પણ શ્રીલંકા ફાઇનલમાં જીત્યું'


આ સવાલના જવાબમાં વસીમ અકરમે કહ્યું કે ગત એશિયા કપમાં મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતોએ કહ્યું હતું કે ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. પણ શું થયું... ફાઈનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. શ્રીલંકાએ ફાઇનલમાં તમામ આગાહીઓ ખોટી સાબિત કરી અને ટાઇટલ જીત્યું. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ ફાઇનલમાં પણ પહોંચી શકી નથી.         


ભારતીય ટીમનું પાકિસ્તાન ન આવવા પર વસીમ અકરમે શું કહ્યું?


વસીમ અકરમે કહ્યું કે ગત એશિયા કપમાં આપણે બધા માનતા હતા કે ભારત અથવા પાકિસ્તાન ટાઇટલ જીતવાના પ્રબળ દાવેદાર છે. પરંતુ શ્રીલંકાએ એશિયા કપ જીત્યો હતો. તેણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન સિવાય શ્રીલંકા પણ સારી ટીમ છે. આ ત્રણેય ટીમો ઘણી ખતરનાક છે. આ સિવાય વસીમ અકરમે ભારતીય ટીમનું પાકિસ્તાન ન આવવા પર પોતાનો મત રજૂ કર્યો હતો. વસીમ અકરમનું કહેવું છે કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નથી આવી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મુદ્દે કડક વલણ અપનાવવું જોઈતું હતું, પરંતુ તેમ નથી કર્યું. આ સિવાય તેણે કહ્યું કે બંને દેશો વચ્ચે ગમે તે મુદ્દાઓ હોય, પરંતુ ક્રિકેટની વચ્ચે રાજકારણ ન આવવું જોઈએ.