નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહએ રવિ શાસ્ત્રીને ટ્રૉલ કર્યા હતા, હવે આ મામલે રવિ શાસ્ત્રીએ બે મહિના બાદ બદલો લઇ લીધો છે. થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના કૉચ રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડિયાને 2011 વર્લ્ડકપ જીતના અભિનંદન આપવા માટે સોશ્યલ મીડિયા પર આવ્યા હતા.


ખેલાડીઓને અભિનંદન આપતી વખતે તેમને માત્ર વિરાટ કોહલી અને સચિન તેંદુલકરને ટેગ કર્યા હતા. યુવરાજ સિંહ ટ્વીટથી પ્રભાવિત ન હતો અને તેને રવિ શાસ્ત્રીને કહ્યું કે તે તેને અને ધોનીને પણ ટેગ કરી શકે છે. યુવરાજે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો, જ્યારે ધોનીએ શ્રીલંકા વિરુદ્ધ ફાઇનલમાં 91 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી.



રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર લખ્યું હતુ કે, ખુબ ખુબ અભિનંદન મિત્રો, આને તમે જિંદગીભર યાદ કરશો અને આનો આનંદ લેશો. ઠીક એમ જ જેમ અમે 1983ના ગ્રુપ #WorldCup2011 સાથે કરીએ છીએ.

યુવરાજે ભારતના વર્તમાન કૉચના ટ્વીટનો જવાબ આપવાની ઉતાવળ હતી, તેને લખ્યું- ધન્યવાદ વરિષ્ઠ, તમે મને અને માહીને ટેગ કરી શકો છો, અમે પણ તેનો ભાગ હતા.

આવામાં ગુરુવારે ફરી એકવાર, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી ટ્વીટર પર એક બીજાની સામે આવી ગયા, અને આ વખતે રૉલ બદલાઇ ગયા. આ યુવરાજ સિંહ જ હતો તેને 1983ના ભારતીય કપની ઐતિહાસિક જીતની 37મી વર્ષગાંઠ પર ટીમ ઇન્ડિયાને અભિનંદન આપવા માટે ટ્વીટરનો સહારો લીધો. જોકે ભારતના પૂર્વ બેટ્સમેનએ 1983ની ટીમના કોઇપણ ખેલાડીને ટેગ ના હતો કર્યો, અને રવિ શાસ્ત્રીને આ વાતની જલ્દી હતી કે યુવરાજે ભારતના કેપ્ટન કપિલ દેવને પણ ટેગ ન હતો કર્યો.



યુવરાજે ટ્વીટ કર્યુ હતુ કે- રાષ્ટ્રીય ગૌરવનુ એક ક્ષણ, અમારા સીનિયર્સે આ દિવસે 1983 ક્રિકેટ વર્લ્ડકપને ઉઠાવ્યો. 1983ની ટીમના પ્રત્યેક સભ્યને અભિનંદન. તમે અમને આ જ હાંસલ કરવા માટે બેન્ચમાર્ક સેટ કર્યો હતો.. ભારતને તમામ રમતોમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાની આશા છે.



જવાબમાં, રવિ શાસ્ત્રીએ યુવરાજને જબરદસ્ત જવાબ આપ્યો અને લખ્યું - ધન્યવાદ, જૂનિયર. તમે મને ટેગ કરી શકો છો અને કેપ્સ (કપિલ દેવ)ને પણ.



યુવરાજે ત્યારે એ લખીને આ થ્રેડને સમાપ્ત કર્યો, હાહાહાહા વરિષ્ઠ, તમે મેદાન પર અને તેની બહાર એક લિજેન્ડ છો. કપિલ પાજી પુરેપુરા એક અલગ લીગ હતા.