પિતાના નિધનને કારણે વતન પરત ફરશે CSKનો આ સ્ટાર બોલર
જોકે આ મામલે હજુ સુધી સીએસકે તરફથી કોઈ સત્તાવાર જાહેરાતા કરવામાં આવી નથી કે તે કેટલા મેચ માટે ટીમમાંથી બહાર રહેશે. એન્ગિડીને તેની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં ટીમે ખરીદ્યો હતો. ભારત વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શનના ઈનામમાં તેને અહીં તક મળી હતી.
એન્ગિડીના આ મુશ્કેલ સમયમાં વતન પરત ફર્યા બાદ સીએસકેની મુશ્કેલી વધી શકે છે. એન્ગિડી પહેલા મિચેલ સેન્ટનર, કેદાર જાધવ અને સુરેશ રૈના પહેલેથી જ ઇજાને કારણે ટીમમાંથી બહાર ચે અને અને એન્ગિડીના જવાથી એમએસ ધોનીની મુશ્કેલી વધી શકે છે.
જેક્સ ફોલે ટાઈમ્સ લાઈવ સાથે વાતચીતમાં કહ્યું, અમે આ દુખદ સમાચાર તેની સાથે શેર કર્યા છે. એન્ગિડીસના પરિવાર અને મિત્રોની સાથે અમારી સંવેદનાઓ છે. એક ક્રિકેટ પરિવાર તરીકે અમે તેને મદદ માટે તૈયાર છીએ.
ટાઈટન્સના સીઈઓ જેક્સ ફોલે આ અહેવાલની પુસ્ટી કરી આ મામલે એન્ગિડીને તેની જાણકારી આપી. એન્ગિડી દક્ષિણ આફ્રીક માટે રમે છે.
વેસ્ટ ડરબનમાં રહેતા એન્ગિડીના પિતા જેરોમ એન્ગિડી કમરના ઓપરેશન બાદ સંપૂર્ણ સ્વસ્થ્ય થયા ન હતા અને તેનું નિધન થઈ ગયું. અહેવાલ અનુસાર ચેન્નઈના આ ફાસ્ટ બોલર આજે વતન પરત ફરશે.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપરકિંગ્સના સ્ટાર બોલર લ્યુંગી એન્ગિડી આઈપીએલમાં અધવચ્ચેથી જ છોડીને ચાલ્યા જશે. શુક્રવારે સવારે તેના પિતાનું નિધન થઈ ગયું છે.