છેલ્લા બોલે સિક્સર ફટકારી જીત અપાવનાર દિનેશ કાર્તિકે કોને આપી જીતની ક્રેડિટ, જાણો વિગતે
આ ઉપરાંત દિનેશ કાર્તિકે બેકરૂમ સ્ટાફને પણ ક્રેડિટ આપી, તેણે સ્ટાફ દ્વારા સતત મળતા સપોર્ટનો આભાર માન્યો હતો. નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં ભારતને છેલ્લા બોલ પર જીત અપાવી દિનેશ કાર્તિક સ્ટાર બની ગયો હતો.
કાર્તિકને આમ તો એમએસ ધોનીના કરિયર પહેલા ટીમ ઈન્ડિયામાં તક મળી હતી, જોકે તે સમયે કાર્તિક તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. તેમછતાં કાર્તિકે મેચ બાદ ધોનીને યાદ કરતા કહ્યું કે,‘દબાણમાં મગજ શાંત રાખી રમવું અનુભવથી જ આવડે છે. આ વાત મે એમએસ ધોનીને જોઈ શીખી છે. એજ રીતે ચેસ કરવા મામલે વિરાટ કોહલી પાસેથી પણ ઘણું શીખવા મળે છે.
દિનેશ કાર્તિકે આ રીતે રમતને ફિનિશ કરવાનું ક્યાંથી શીખ્યુ તેનો ખુલાસો કર્યો હતો. આ આક્રમક રમત માટે ક્રેડિટ આપવાની વાત આવી તો, ટીમમાં જેના કારણે એન્ટ્રી નહોતી મળતી તેવા મહેન્દ્રસિંહ ધોનીને દિનેશ કાર્તિકે ક્રેડિટ આપી હતી.
નવી દિલ્લી: નિદહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામેની ફાઈનલ મેચમાં ભારતે જીત મેળવી તેનો શ્રેય ટીમ ઇન્ડિયાના ખેલાડી દિનેશ કાર્તિકને આપવામાં આવે છે. મેચના અંતિમ બોલે જ્યારે ભારતને જીત માટે 5 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી. કાર્તિકે માત્ર 8 બોલમાં આક્રમક 29 રન ફટકાર્યા હતા.