IPL Auction: જાણો શું છે RTM કાર્ડ અને તેનાથી ક્યા ખેલાડીને ખરીદી શકે છે ટીમ માલિક
જોકે ફરીથી પોતાની ટીમમાં ખેલાડીને સાથે રાખવા માટે ટીમે એટલા જ રૂપિયા ખર્ચ કરવા પડશે જેટલા કોઈ અન્ય ટીમ (ડીડી)એ તેને ખરીદવા માટે ખર્ચ્યા હોય. દરેક ટીમ વધુમાં વધુ પાંચ પ્લેયર્સને રીટેન કરી શકે છે. તમામ ટીમોની પાસે RTMનો અધિકાર છે અને તે પોતાના કોઈપણ પસંદગીના ખેલાડીને પોતાની ટીમ સાથે જોડી શકે છે.
માની લો કે કોઈ એક ખેલાડી પહેલા કોઈ એક ટીમ માટે રમતો હતો. ઉદાહણ તરીકે ક્રિસ ગેલ. પરંતુ તેની ટીમ (જેમ કે આરસીબી)એ બોલી પહેલા તેને રીટેન કર્યો નથી, ત્યાર બાદ કોઈ અનય્ ટીમ (જેમ કે ડીડી) હરાજીમાં તેને ખરીદે છે. ત્યાર બાદ તેની ટીમ (જેમ કે આરસીબી)ને લાગે કે ના આ ખેલાડી મારી ટીમમાં હોત અને મારી ટીમમાં જ રહેવો જોઈઓ તો ફરીથી ટીમ RTMનો ઉપયોગ કરીને તને પરત પોતાની ટીમમાં લઈ શકે છે.
નવી દિલ્હીઃ આજે બેંગલુરુમાં ઇન્ડિયન પ્રીમિયરલીગ 2018 માટે ખેલાડીઓની હજારી થઈ રહી છે. આ ઓક્શનમાં ગૌતમ ગંભીર, આર અશ્વિન, યુવરાજ, બેન સ્ટોક્સ, શિખર ધવન અને અજિંક્ય રહાણે જેવા અનેક મોટા નામ પણ સામલે છે કારણ કે તેને તમામ 8માંથી કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યા નથી. પરંતુ હજુ પણ આ દિગ્ગજોને રાઈટ ટૂ મેચ(RTM) દ્વારા ટીમ ફરીથી પોતાની સાથે રાખી શકે છે.
ઓક્શન દરમિયાન આજે પ્રથમ વખત રાઈટ ટૂ મેચ((RTM))નો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ શું તમને જામો છો આખરે શું હોય છે આ (RTM). તો આવો અમે તમને સમાજીએ છીએ કે આખરે આઈપીએલ હરાજીમાં શું હોય છે રાઈટ ટૂ મેચનો મતલબ.