✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીનું 77 વર્ષની વયે નિધન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Aug 2018 07:11 AM (IST)
1

વાડેકરને પોતાના હોમ ગ્રાઉન્ડ મુંબઈમાં જ ટેસ્ટ કેપ મળી હતી. વાડેકરે 37 ટેસ્ટની 71 ઈનિંગમાં 2113 રન બનાવ્યા હતા. પોતાના ટેસ્ટ કેરિયરમાં તેમણે 1 સદી અને 14 અડધી સદી ફટકારી હતી.

2

અજીત વાડેકરના ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1958-59માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેના 8 વર્ષ પછી તેમને ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાની તક મળી. તેમણે 1966માં વેસ્ટ ઈન્ડીઝની સામે પોતાની પહેલી ટેસ્ટ રમી હતી.

3

ભારતે તેમની કેપ્ટનશિપમાં વર્ષ 1971માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમોને ટેસ્ટમાં હરાવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે વાડેકરની કેપ્ટનશિપમાં 24 ઓગસ્ટ, 1971એ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની પહેલી ટેસ્ટ જીત હતી.

4

નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને પૂર્વ ચીફ સિલેક્ટર અજીત વાડેકરનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. તે 77 વર્ષના હતા. વાડેકર વિતેલા ઘણાં સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 1 એપ્રિલ 1941ના રોજ મુંબઈમાં જન્મેલ વાડેકરે મુંબઈના જસપોલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. વાડેકર પોતાના સમયના બેસ્ટ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનોમાં સામેલ હતા. તેમણે ભારત માટે 37 ટેસ્ટ મેચ અને 2 વન-ડે રમી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીનું 77 વર્ષની વયે નિધન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.