શ્રીલંકાના કયા ક્રિકેટર સામે લાગ્યો ભારતમાં સ્મગલિંગનો આરોપ, જાણો વિગતે
ભારતના વેપારી સીધા ઈન્ડોનેશિયાથી સોપારી ખરીદે તો તેમને 108% ઈમ્પોર્ટ ડ્યૂટી ચુકવવી પડે છે. સાઉથ એશિયા ફ્રી ટ્રેડ એરિયા અંતર્ગત શ્રીલંકાથી ઈમ્પોર્ટ ડ્યૂટીમાં પૂર્ણ રીતે છૂટ છે. જેનો ફાયદો સોપારીના સ્મગલિંગમાં ઉઠાવવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે અન્ય ક્રિકેટ ખેલાડીઓને 2 ડિસેમ્બર સુધી પૂછપરછ માટે બોલાવવાની તૈયારીમાં છે. રેવેન્યૂ ઈન્ટેલિજન્સના ડેપ્યુટી ડાયરેક્ટર દિલીપ સિવારેએ જણાવ્યું કે આ સોપારી ઈન્ડોનેશિયાથી પહેલાં શ્રીલંકા જે બાદ ત્યાંથી સ્મગલિંગ કરીને ભારત પહોંચી હતી. જે માટે શ્રીલંકામાં ડમી કંપનીઓ બનાવવામાં આવી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખેલાડીઓએ પોતાની ઓળખનો ફાયદો ઉપાડીને શ્રીલંકા સરકાર સમક્ષ સોપારીના વેપાર માટે લાયસન્સ લીધા, ડમી કંપનીઓ બનાવી. ઉત્પાદનના નકલી દસ્તાવેજ તૈયાર કર્યાં. દાવો કરવામાં આવ્યો કે સોપારીનું ઉત્પાદન શ્રીલંકામાં થયું છે. એવું કરીને ઈમ્પોર્ટ ડ્યૂટીની ચોરી કરવામાં આવી. આ જાણકારી રેવેન્યૂ ઈન્ટેલીજન્સના નાગપુરમાં પાડવામાં આવેલા દરોડા બાદ સામે આવી. નાગપુરમાં પ્રકાશ ગોયલ નામના વેપારીના ગોદામ સીલ કરવામાં આવ્યાં. તેમજ તેના વિરૂદ્ધ બીનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરાયાં છે. આ પહેલાં મુંબઈના ફારૂખ ખુરાની નામનો એક વેપારી પકડાયો હતો.
આ મામલે ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે નાગપુરમાં કરોડો રૂપિયાની સડેલી સોપારી જપ્ત કરી હતી. જેમાં પકડાયેલાં એક વેપારીની પૂછપરછમાં જયસૂર્યાનું નામ સામે આવ્યું. રેવેન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે જયસૂર્યાને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યા, તેઓ આવ્યાં પણ ખરા. હવે આગળની કાયદાકીય કાર્યવાહી માટે શ્રીલંકા સરકારને પત્ર મોકલવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતમાં સ્મગલિંગ કરવાના આરોપમાં શ્રીલંકન દિગ્ગજ ઓપનર સનથ જયસૂર્યા ફસાયો છે. ભારતમાં સ્મગલિંગ કરી સડેલી સોપારી મોકલવાના મામલે જયસૂર્યાનું નામ સામે આવતા હોબાળો મચ્યો છે. જોકે આ ઉપરાંત બીજા બે અન્ય ખેલાડીઓના પણ નામ હોવાની આશંકા છે, પણ તેનો હજુ સુધી ખુલાસો થઇ શક્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -