✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બદલાઈ ગયો ડકવર્થ લુઈસનો નિયમ, વરસાદવાળી મેચોમાં હવે શું થશે, જાણો....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Oct 2018 08:00 AM (IST)
1

આ 2014માં પ્રથમ વખત આવેલા ડીએલએસનું ત્રીજુ વર્ઝન છે, જેને બીજી વખત નવું રુપ આપવામાં આવ્યું છે. આ પહેલા ડીએલએસને ડીએલના નામથી ઓળખવામાં આવતું હતું. તેનો મતલબ એ છે કે આ વિશ્લેષણ 700 વન-ડે, 428 ટી-20 મેચની જાણકારી પર આધારિત હશે. હાલના વિશ્લેષણનો મતલબ એ છે કે ટીમે લાંબા સમય માટે પોતાની રન બનાવવાની ઝડપને ફાસ્ટ કરવી પડશે. સાથે વન-ડેમાં એવરેજ પણ વધારવી પડશે. તેનો મતલબ એવો છે કે બેટિંગ કરનાર ટીમને ઇનિંગ્સની અંતિમ ઓવરોમાં પોતાના રન બનાવવાની ઝડપ વધારવી પડશે.

2

દુબઈઃ આઈસીસીએ શનિવારે ડકવર્થ લુઈસ નિયમમાં અને તેની આચાર સંહિતાના નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે જે 30 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનાર મેચથી લાગુ પડશે.

3

આ નવા ફોર્મેટને લાવ્યા પહેલા વન-ડે (અંતિમ 20 ઓવર) અને ટી-20માં રન બનાવવાની પેટર્ન પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં પુરુષ અને મહિલા ક્રિકેટના અલગ-અલગ સ્કોરિંગ પેટર્ન પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ સિવાય આઈસીસીએ પોતાની આચાર સંહિતામાં કેટલાક નવા અપરાધને સ્થાન આપ્યું છે. આ યાદીને બે જુલાઈએ ડબલિનમાં થયેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂરી મળી ગઈ હતી. લેવલ-3ના ભંગ પર લગાવવામાં આવતા 8 પ્રતિબંધિત અંકને હવે વધારીને 12 કરવામાં આવ્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • બદલાઈ ગયો ડકવર્થ લુઈસનો નિયમ, વરસાદવાળી મેચોમાં હવે શું થશે, જાણો....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.