નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં જબરદસ્ત ફોર્મ સાથે પોતાની ટીમે પ્લેઓફમાં પહોંચાડનારો ખેલાડી ધોની સૌની નજરમાં છે. 38 વર્ષનો પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન-વિકેટકીપર ધોની હાલ તો ટેસ્ટ અને ટી20ની ઇન્ડિયન સ્ક્વૉડમાંથી બહાર છે.


ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ-આઇસીસીએ ટ્વીટ કરીને એક સવાલ પુછ્યો છે, શું મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી વર્લ્ડકપ 2019 બાદ પણ રમતુ રહેવું જોઇએ? શું તેને 2020માં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ (ICC T20 World Cup 2020)માં પણ રમવું જોઇએ?, આઇસીસીના આ સવાલના જવાબમાં ફેન્સ ચોંકાવનારા જવાબો આપવાનું શરૂ કરી દીધુ હતું.