✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈંગ્લેન્ડ સામે ધબડકા પછી કોહલી-શાસ્ત્રીએ મીડિયા સામે આવવાના બદલે ક્યા ક્રિકેટરને આગળ કરી દીધો ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2018 11:18 AM (IST)
1

લૉર્ડ્સ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે. જ્યારે બીજી તરફ અકિંજય રહાણેની કોમેન્ટથી પણ ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ શરમજનક દેખાવ પછી મીડિયાને જવાબ આપવા કેપ્ટન વિરાટ કોહલી તથા કોચ રવિ શાસ્ત્રી હાજર ના થતાં ક્રિકેટ ચાહકો ગુસ્સામાં છે.

2

પુજારાના વિવાદિત રન આઉટ માટે જવાબદાર કેપ્ટન કોહલીએ મીડિયા સામે આવીને કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર કોઈ કોમેન્ટ નથી કરી. બીજી તરફ રહાણેએ કોહલીના ઈશારે પુજારાને જવાબદાર ઠેરવતાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે આક્રોશ છે.

3

ભારતના ધબડકા બાદ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીએ મીડિયાનો સામનો કરવા માટે પોતે આવવાના બદલે જેનું ટીમમાં સ્થાન નથી તેવા અકિંજય રહાણેને મોકલી દીધો હતો. રહાણેએ ભારતના ધબડકા માટે કોઈ નક્કર કારણ આપવાના બદલે જૂનો જ રાગ આલાપતાં કહ્યું હતુ કે, આ ઈનિંગથી બધાને ઘણું બધું શીખવા મળ્યું.

4

રહાણેએ ઊમેર્યું કે, પ્રથમ ઈનિંગથી અમારામાંના ઘણાંને શીખવા મળ્યું. અમે જેટલી ઝડપથી શીખીશું તેટલું અમારા માટે સારુ છે. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વરસાદના વિધ્ન વચ્ચે બીજા દિવસે શરુ થયેલી મેચમાં ભારતે 35.2 ઓવરમાં માત્ર 107 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતુ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંગ્લેન્ડ સામે ધબડકા પછી કોહલી-શાસ્ત્રીએ મીડિયા સામે આવવાના બદલે ક્યા ક્રિકેટરને આગળ કરી દીધો ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.