નેત્રહિન ક્રિકેટરોની T-20 ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સતત બીજી વખત વિજેતા

ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચતા પૂર્વે 9માંથી 8 મેચ જીતી હતી. સેમી ફાઈનલમાં તેણે શ્રીલંકાને 10-વિકેટથી પરાજય આપ્યો હતો.ઉલ્લેખનિય છે કે પાકિસ્તાને તેની તમામ 9 મેચ જીતી હતી, પણ અંતે ફાઈનલમાં ભારત સામે પરાસ્ત થયું હતું.
ભારતે તેના જવાબમાં 17.4 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 200 રન કરીને મેચ જીતી લીધી હતી. ઓપનર પ્રકાશ જયરામૈયા 99 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. તો કેપ્ટન અજય કુમાર રેડ્ડીએ 43 રન કર્યા હતા અને ડુના વેંકટેશ 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 197 રન કર્યા હતા. પાકિસ્તાન તરફથી બદર મુનીરે 57 રન બનાવી ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.
બેંગલુરુ: બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતના આંખે દેખતા ક્રિકેટરોએ તો અત્યાર સુધીમાં અનેક સિદ્ધિ હાંસલ કરી હશે, પણ આજે નેત્રહીન ક્રિકેટરોએ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
તેમણે T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાન્ડ સ્પર્ધામાં સતત બીજી વાર જીત મેળવી છે. આજે રમાયેલી ફાઈનલમાં તેમણે પાકિસ્તાનની ટીમને 9-વિકેટથી હાર આપી છે.