વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની
ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.
કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -