✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2018 10:27 AM (IST)
1

ભારતને જીત માટે 140 રનની જરૂરત હતી. રોહિત બાદ વિરાટ કોહલી આવીને શાનદાર બેટિંગ કરશે એવી સંભાવના હતી પરંતુ કોહલીની જગ્યાએ તેણે કેએલ રાહુલને મોકલ્યો. કેએલ રાહુલ પર કેપ્ટને જે વિશ્વાસ રાખ્યો તે તૂટી ગયો. કેએલ રાહુલ 12 બોલમાં 13 રન બનાવીને આઉટ થઈ ગયા. તેના આઉટ થતા જ ફરી એ ચર્ચા શરૂ થઈ ગઈ કે વિરાટ કોહલી આ પ્રકારના પ્રયોગો કરે છે કેમ.

2

ભારતીય ટીમ પ્રથમ ટી20માં 17 ઓવરમાં 174 રનના ટાર્ગેટનો પીછો કરી રહી હતી. વરસાદને કારણે મેચ 17 ઓવરનો કરવામાં આવ્યો હતો. શિખર ધવન અને રોહિત શર્માએ ઈનિંગની શરૂઆત કરી. શરૂઆત સારી પણ રહી. 4.1 ઓવરમાં ભારતને પ્રતમ ઝટકો લાગ્યો જ્યારે રોહિત શર્મા આઉટ થઈ ગયો ત્યારે ભારતનો સ્કોર 35 રન હતો.

3

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝની શરૂઆત હારથી થઈ છે. આ હારની સાથે કેપ્ટન વિરાટ કોહલીના એક ખોટા નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. આ વાત પર પહેલા પણ ચર્ચા થતી રહી છે કે વિરાટ કોહલી ઘણી વખત ખરાખરીના સમયે ખોટા નિર્ણય લે છે. બુધવારે પણ કંઈક આવું જ થયું.

4

કેએલ રાહુલના આઉટ થયા બાદ સુનીલ ગાવસકર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે પણ કહ્યું કે, જ્યારે પ્રિત ઓવર 11 રનની એવરેજની જરૂરત હતી તો ઇનફોર્મ વિરાટ કોહલીએ આ જવાબદારી નિભાવવી જોઈતી હતી. વિરાટ હંમેશા ટીમ માટે નંબર ત્રણ પર બેટિંગ કરે છે. ટીમ પર દબાણ હતું. ગાવસકરે કહ્યું કે, હજુ તો સીરીઝની શરૂઆત સીરીઝ જીત્યા બાદ આ પ્રકારના પ્રયોગ કરી શકાય છે પરંતુ સીરીઝની શરૂાતમાં પ્રયોગ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે તો એ પણ કહ્યું કે, તેની આ ભૂલ બાદ પણ જો ભારત મેચ જીતા જાય તો પણ તેના આ પ્રયોગને યોગ્ય ન ગણાવી શકાય.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટ કોહલીનો એક ખોટા નિર્ણય અને હારથી શરૂઆત થઈ સીરીઝની
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.