કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, આ સ્ટાર બોલર હશે વર્લ્ડ કપ માટે પહેલી પસંદનો સ્પિનર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2019 07:36 AM (IST)
1
ટિકાકારો અંગે શાસ્ત્રીએ કહ્યું, લોકો શું કહે છે, તેની કોણ ચિંતા કરે છે? સ્કોરબોર્ડને જુઓ, પરિણામ જુઓ અને બાકી બધુ ઇતિહાસ છે.
2
શાસ્ત્રીએ કહ્યું, 'કુલદીપ આનાથી વર્લ્ડ કપના ખેલાડીઓની યાદીમાં આવી ગયો. તે કદાય વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગીની અંતિમ યાદીમાં સામેલ થઇ શકે છે. કેમ કે, તેને કાંડા વડે સ્પિન કરવાનો લાભ મળે છે. અમને કદાય અન્ય બે અંગુલી સ્પિનરો વચ્ચે પસંદગીની જરૂર પડશે.'
3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીને લાગે છે કે કુલદીપ યાદવનું ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન તેને ઇંગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડ કપમાં તે પ્લેઈંગ ઇલેવનમાં પ્રથમ પસંદગીનો સ્પિનર બનાવે છે.