✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડેમાં જીત્યા પછી વિરાટે ક્યા બે ભારતીય બેટ્સમેનને કરી સલામ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2019 11:00 AM (IST)
1

એડિલેડઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની મંગળવારે એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયો 6 વિકેટથી વિજય થયો હતો. આ સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 299 રનનો ટાર્ગેટ ભારતે 49.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. 1999 બાદ પ્રથમ વખત કોઈ ટીમ આ મેદાન પર આટલો મોટો સ્કોસ ચેઝ કરી શકી હતી. મેચમાં કોહલીએ 104 રનની ઈનિંગ રમી હતી તો મહેન્દ્ર સિંહ ધોની 55 રને અણનમ રહ્યો હતો. મેચ પછી વિરાટ કોહલીએ ધોની ભરપેટ વખાણ કર્યા હતા. ઉપરાંત દિનેશ કાર્તિકની ઝડપી ઈનિંગની પણ પ્રશંસા કરી હતી.

2

કોહલીએ કહ્યું હતું કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે તે મોટા શોટ્સ રમીને મેચને ખતમ કરી શકે છે. કોહલીએ 14 બોલમાં 25 રનની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકની પણ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે કાર્તિકે ઝડપી રમીને ધોની ઉપર દબાણ ઓછું કર્યું હતું. ભારતને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી ત્યારે ધોનીએ પ્રથમ બોલે સિક્સર ફટકારી ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી.

3

કોહલીએ કહ્યું હતું કે, આજે મહેન્દ્રસિંહ ધોનીની ક્લાસિક ઇનિંગ્સ જોવા મળી હતી. 50 ઓવર સુધી વિકેટકિપિંગ કરીને આવી ઇનિંગ્સ રમવી સરળ નથી હોતું. ધોની મેચને અંત સુધી લઈ ગયો હતો અને પછી ખતમ કરી હતી. ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. તે રમતને સારી રીતે સમજે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડેમાં જીત્યા પછી વિરાટે ક્યા બે ભારતીય બેટ્સમેનને કરી સલામ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.