નવી દિલ્હીઃ નાગપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયા 48.2 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 116 રનની ઈનિંગ રમી હતી. જોકે આ મેચમાં ભારતના ઓપનર રોહિત શર્માના નામે અણગમતો રેકોર્ડ નોંધાયો હતો.


ભારતની ઈનિંગની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર 0 રને આઉટ થયો હતો. તેની સાથે જ રોહિત શર્મા વન ડે કરિયરમાં ઘરઆંગણે રમતી વખતે પ્રથમવાર ખાતું ખોલાવી શક્યો નહોતો. વન ડે કરિયરની 202 મેચમાં રોહિત શર્મા કુલ 13 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે.

વાંચોઃ વનડેમાં ક્રિકેટમાં વિરાટ કોહલીની 40 સદી, સચિનને છોડ્યો પાછળ, જાણો

આ ઉપરાંત 7  વર્ષ અને 55 ઈનિંગ બાદ રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થયો હતો. 2012માં બ્રિસબેન વન ડેમાં તે શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો.

PM મોદીએ અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં કયા પાટીદાર નેતાના પગે પડી લાંબી વાતચીત કરી? જુઓ વીડિયો


પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના 8 પુરાવા, જુઓ વીડિયો