ચેન્નઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી બીજી ટેસ્ટ રમાશે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયામાં અક્ષર પટેલે ડેબ્યૂ કર્યું છે. ભારતીય ટીમમાં બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. જ્યારે વોશિંગ્ટન સુંદરના સ્થાને કુલદીપ યાદવને સામેલ કરાયો છે. ભારતીય ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા છે.


વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી હતી અને કોચ રવિ શાસ્ત્રીએ ગળે લગાડ્યો હતો. અક્ષર પટેલ હાલ ગુજરાતની ટીમનો કેપ્ટન છે અને આ પહેલા તે ટી-20 અને વન ડેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચુક્યો છે. તે 38 વન ડેમાં 45 વિકેટ ખેરવી ચુયો છે. જ્યારે 11 ટી-20મનાં 9 વિકેટ લીધી છે. આઈપીએલની 97 મેચમાં તેણે 80 વિકેટ લીધી છે.



ભારતીય ટીમ

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની ટીમ

ડૉમ સિબ્લે, રોરી બર્ન્સ, ડેનિયલ લોરેન્સ, જો રૂટ(કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, મોઈન અલી, સ્ટૂઅર્ટ બ્રોડ, જેક લીચ અને ઓલી સ્ટોન