India vs England, 3rd Test: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે.

abpasmita.in Last Updated: 25 Feb 2021 08:17 PM
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે નાઈટ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.4 ઓવરમાં 10 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો છે.
બીજી ઈનિંગમાં ભારત માટે અક્ષર પટેલે 5 અને અશ્વિને ચાર વિકેટ ઝટપી હતી. તેની સાથે ત્રીજી ટેસ્ટમાં અક્ષર પટેલે કુલ 11 વિકેટ અને અશ્વિને કુલ 7 વિકેટ ઝડપી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે.


ત્રીજી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 33 રનની લીડ મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડને માત્ર 81 રન પર ઓલઆઉટ કરી દીધી છે. ભારતને જીત માટે 49 રનનો લક્ષ્યાંક મળ્યો છે. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. જ્યારે ભારત માટે અક્ષર પટેલે 5 અને અશ્વિને ચાર વિકેટ ઝટપી હતી.


રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં મોટી સફળતા મેળવી છે. તેણે 77 ટેસ્ટ મેચોમાં પોતાની 400 વિકેટ પૂરી કરી છે.


ઈંગ્લેન્ડની સાતમી વિકેટ પડી છે. અશ્વિને ભારતીય ટીમને વધુ એક સફળતા અપાવી છે. તેણે જોફ્રા આર્ચરને ખાતું પણ ખોલવવા દીધું ન હતું. ઇંગ્લેન્ડનો સ્કોર સાત વિકેટ પર 68 રન છે.


ભારતીય બોલરોએ તરખાટ મચાવતા ઈંગ્લન્ડેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. અશ્વિને ઓલી પોપને 12 રન પર આઉટ કરી દીધો છે. ઈંગ્લેન્ડ સ્કોર 6 વિકેટના નુકસાન પર 66 રન છે.

બેન સ્ટોક 25 રન બનાવી અશ્વિનની ઓવરમાં lbw આઉટ થયો છે. ઈંગ્લેન્ડનો સ્કોર ચાર વિકેટ 50 રન છે. રૂટ અને ઓલી પોપ રમતમાં છે.

ઈંગ્લેન્ડ સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 33 રન છે. જો રૂટ અને બેન સ્ટોક રમતમાં છે.

ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ ગઈ છે. ડોમ સિબ્લે 7 રન બનાવી આઉટ થયો છે. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા તરખાટ મચાવી દીધો છે. સિબ્લેને આઉટ કરી અક્ષરે અત્યાર સુધ ત્રણ વિકેટ ઝડપી છે.

ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ ખુબજ ખરાબ રહી, ઈંગ્લેન્ડે શૂન્ય રને બે વિકેટ ગુમાવી દીધી છે. જેક ક્રોલી અને જોની બેરિસ્ટો ખાતુ ખોલાવ્યા વગરજ પેવેલિયન ભેગા થઈ ગયા છે. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરતા આ બન્નેની વિકેટ લીધી છે.
પહેલા દિવસે ત્રણ વિકેટ પર 99 રન બનાવનારી ટીમ ઈન્ડિયા બીજા દિવસે માત્ર 46 રનો પર પોતાની સાત વિકેટ ગુમાવી દીધી. ઈંગ્લેન્ડ માટે જો રૂટે શાનદાર બોલિંગ કરતા માત્ર 8 રન આપી પાંચ વિકેટ ઝડપી, જ્યારે લિચે 4 વિકેટ લીધી હતી.
બન્ને ટીમો ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ સીરીઝની એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટ મેચ છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. જો કે ટીમ ઈન્ડિયાને 33 રનની લીડ મળી છે.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક મોડ પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.

પ્રથમ દિવસ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે જબરદસ્ત ફોર્મ બતાવતા 99 રન બનાવ્યા હતા, જોકે આ દરમિયાન ભારતીય ટીમે ત્રણ વિકેટ પણ ગુમાવી દીધી હતી, જેમાં ઓપનર શુભમન ગીલ 11 રન, ચેતેશ્વર પુજારા 0 રન અને કેપ્ટન વિરાટ કોહલી 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.

પ્રથમ દિવસે ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી અને પ્રથમ દિવસે જ 112 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય સ્પીનરોએ તરખાટ મચાવતા અક્ષર પટેલ અને અશ્વિને ઘાતક બૉલિંગ કરી હતી.

ભારતીય લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને 6 વિકેટ ઝડપી, આ ઉપરાંત ઓફ સ્પીનર આર.અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એટલુ જ નહીં ભારતીય ટીમે પણ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં સ્પીનર જેક લીચે બે વિકેટો ઝડપી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.