ન્યૂઝીલેન્ડ સામે T-20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા આ ખેલાડીને ટેસ્ટ ટીમમાં ન મળ્યું સ્થાન, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2020 03:55 PM (IST)
રોહિત શર્મા ઈજાગ્રસ્ત બનતાં તેના સ્થાને ટેસ્ટ ટીમમાં કે એલ રાહુલના સમાવેશની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેના સ્થાને શુભમન ગિલને મોકો આપવામાં આવ્યો છે.
(ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં કે એલ રાહુલ મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો.)
મુંબઇઃ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેારત થઇ ગઇ છે. ટીમમાં બે ફેરફોરો જોવા મળ્યો છે. જેમાં એક પૃથ્વી શૉ જેને રોહિત શર્માના બદલે ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે, જ્યારે બીજો ફેરફાર શુભમન ગીલનો છે, શુભમન ગીલને પહેલીવાર ટેસ્ટ ટીમમાં મોકો આપવામાં આવ્યો છે. જ્યારે કે એલ રાહુલને આરામ આપવામાં આવ્યો છે. શુભમન ગિલની કેમ થઈ પસંદગી રોહિત શર્મા ઈજાગ્રસ્ત બનતાં તેના સ્થાને કે એલ રાહુલના સમાવેશની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં તેણે શાનદાર બેટિંગ કરી હોવાથી ટેસ્ટ ટીમમાં વાપસીની આશા હતી પરંતુ તેમ ન થતાં શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલ ફોર્મમાં છે અને તેણે થોડા દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડ-એ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ટી-20 શ્રેણીમાં મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો રાહુલ ન્યૂઝીલેન્ડ સામે 5-0થી ટી-20 શ્રેણી જીતમાં કેએલ રાહુલનો મહત્વનો ફાળો હતો. જેના કારણે તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. 5 મેચમાં રાહુલે 144.51ના સ્ટ્રાઇક રેટથી 224 રન બનાવ્યા હતા. આટલા સારા પ્રદર્શન છતાં ટેસ્ટ ટીમમાં રાહુલની અવગણના થતાં ક્રિકેટ પ્રેમીઓને આંચકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતે જાહેર કરેલી ટેસ્ટ ટીમ