INDvsSL: શ્રીલંકા સામે હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર) દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત
સલામી બેટ્સમેન શિખર ધવન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ધવને બન્ને મેચોમાં અડધી સદી નોંધાવી હતી. જ્યારે શ્રીલંકાને મેચ પહેલાજ મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચંડીમલને આગામી બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચંડીમલને બાંગ્લાદેશ સામેની શનિવારે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના કારણે સજા આપવામાં આવી છે સાથે મેચ ફી માંથી 20 ટકા દંડ પણ ફટકાર્યો છે.
કોલંબો: ટીમ ઈન્ડિયા આજે કોલંબોમાં નિદાહાસ ત્રિકોણીય ટી-20 સીરીઝમાં પોતાની ત્રીજી મેચમાં યજમાન શ્રીલંકા સામે કોઈ પણ સ્થિતિમાં જીત મેળવવા માટે મેદાનમં ઉતરશે. ટીમ ઈન્ડિયાની નજર શ્રીલંકાને પરાજય કરી ફાઈનલમાં સ્થાન મેળવવા પર રહેશે. કેપ્ટન રોહિતની આગેવાનીમાં ભારતની આ શ્રેણીની શરૂઆતમાં સારી નથી રહી પણ બીજી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવી શાનદાર વાપસી કરી હતી. મેચ સાજે સાત વાગે શરૂ થશે.