INDvWI: હૈદરાબાદ ટેસ્ટ પહેલા ભારતે જાહેર કર્યા 12 ખેલાડીના નામ, જાણો કોને મળ્યું સ્થાન
બીજી ટેસ્ટ માટે ભારતે જાહેર કરેલી 12 સભ્યોની ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), કેએલ રાહુલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર
રાજકોટ ટેસ્ટમાં લોકેશ રાહુલ 0 રને આઉટ થયા બાદ તેના સ્થાને હૈદરાબાદમાં મયંક અગ્રવાલને તક આપવામાં આવી શકે છે તેવી ચર્ચા થતી હતી. પરંતુ તેમ થયું નથી.
ભારતીય ટીમે રાજકોટ ટેસ્ટ મેચ જીતીની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. બીજી મેચમાં ભારતની નજર ક્લીન સ્વિપ પર રહેશે. રાજકોટટમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પૃથ્વી શો, કેપ્ટન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ સદી ફટકારી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો એક ઈનિંગ અને 272 રનથી હરાવીને ટેસ્ટની સૌથી મોટી જીત મેળવી હતી.
હૈદરાબાદઃ શુક્રવારથી હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર શરૂ થઈ રહેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમના 12 ખેલાડીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ટેસ્ટમાં જાહેર કરવામાં આવેલા 12 ખેલાડીઓને જ સ્થાન આપવામાં આવ્યું છે.