નવી દિલ્હીઃ આરસીબીએ મેચ જીતવા આપેલા 150 રનના લક્ષ્યાંકને દિલ્હીએ 18.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 152 રન બનાવી હાંસલ કરી લીધો હતો. જેના કારણે આઈપીએલની ચાલુ સિઝનમાં આરસીબીની સતત છઠ્ઠી હાર થઈ હતી. દિલ્હી તરફથી કેપ્ટન શ્રેયય ઐયરે 50 બોલમાં 67 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન તેણે સાઉથીની ઓવરમાં સળંગ પાંચ બોલમાં પાંચ ચોગ્ગા માર્યા હતા. રિષભ પંતે 14 બોલમાં 18 રન બનાવ્યા હતા.


આ પહેલા આઈપીએલ 2019ની 20મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 33 બોલમાં 41 રન તથા મોઇન અલીએ 18 બોલમાં 32 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી રબાડાએ  4 ઓવરમાં 21 રન આપી  4 વિકેટ લીધી હતી.




બંને ટીમો આ પ્રમાણે છે.