✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL: સેહવાગે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છેડો ફાડ્યો, ટ્વિટર પર આપી જાણકારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2018 10:12 PM (IST)
1

સેહવાગે આઈપીએલમાં 104 મેચમાં કુલ 2728 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ છે. કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલમાં હજુ સુધી એક પણ વખત વિજેતા બની શકી નથી.

2

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે શનિવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે છેડો ફાડી નાંખ્યો છે. તે 2016થી આ ટીમ સાથે સંકળાયેલો હતો અને આઈપીએલની 3 એડિશનમાં ટીમનો મેન્ટર હતો. સેહવાગ કિંગ્સ ઈલેવન ટીમ તરફતી આઈપીએલમાં 2 વખત ખેલાડી તરીકે પણ રમ્યો હતો. વન ડે કરિયરમાં 8000થી વધારે રન બનાવનારા સેહવાગે ટ્વિટ કરીને તેના ફેંસલા અંગે જણાવ્યું હતું.

3

સેહવાગે ટ્વિટ કરીને જણાવ્યું કે, તમામ સારી ચીજોનો અંત હોય છે અને મેં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ સાથે સારો સમય ગાળ્યો. હું 2 સીઝનમાં ટીમ તરફથી રમ્યો અને 3 સીઝન સુધી ટીમનો મેન્ટર રહ્યો. કિંગ્સ 11 પંજાબથી અલગ થઈ રહ્યો છું અને ટીમ સાથે સારો સમય વીતાવવા બદલ તમામનો આભાર માનું છું. ટીમને ભવિષ્ય માટે શુભકામના.

4

સેહવાગે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL: સેહવાગે કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છેડો ફાડ્યો, ટ્વિટર પર આપી જાણકારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.