હવે ઓલ સ્ટાર મેચનું આયોજન આઈપીએલ 2020ની ફાઈનલ બાદ કરવામાં આવશે. ગત મહિનામાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં મહત્વની બેઠક બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઑલ સ્ટાર મેચની જાહેરાત કરી હતી.
બૃજેશ પટેલે કહ્યું કે અમે આ મેચને રદ નથી કરી,પરંતુ તેને સ્થગિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચેરિટી માટે આયોજિત કરવામાં આવેલી આ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા એમએસ ધોનીના નેતૃત્વમાં રમશે. ઓલ સ્ટાર મેચમાં આઈપીએલની આઠ ફ્રેન્ચાઈજિઓના મુખ્ય ખેલાડી રમવાના છે.