નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી 2022ની સિઝનને લઇને આજે પ્લેયર રિટેન કામગીરી શરૂ થવાની છે. આ પહેલા બીસીસીઆઇએ તેમામ ફ્રેન્ચાઇઝીઓને પોતાની રિટેન ખેલાડીઓનુ લિસ્ટ જમા કરાવવાની ડેડલાઇન આપી દીધી હતી. હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, કેટલાક ધૂરંધરોને પોતાની ફ્રેન્ચાઇઝીએ રિટેન કરવાનો ફેંસલો કર્યો છે. 


રિપોર્ટ પ્રમાણે કહી શકાય કે મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સુનીલ નારેન, આંદ્રે રસેલ, ગ્લેન મેક્સવેલ, જેવા કેટલાક મોટા ખેલાડીઓને પોતાની ફ્રેન્ચાઇઝીઓ આઇપીએલ 2022 માટે રિટેન કરી શકે છે. સોમવારે ઇએસપીએનક્રિકેઇન્ફોએ આ ખેલાડીઓના નામોની પુષ્ટી કરી છે. રિપોર્ટ છે કે મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓ ભારતીય ક્રિકેટરો પર વધારે દાંવ લગાવી શકે છે. 


જાણો કઇ ટીમ કયા ખેલાડીને કરી શકે છે રિટેન- 
ચેન્નાઇ સુપર કિંગ્સ
રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી


કોલકત્તા નાઇટ રાઇડર્સ
સુનીલ નારેન, આંદ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકેટેશ અય્યર


સનરાઇઝર્સ હૈદરાબાદ
કેન વિલિયમસન


મુંબઇ ઇન્ડિયન્સ
રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર
વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ


દિલ્હી કેપિટલ્સ
ઋષભ પંત, પૃથ્વી શૉ, અક્ષર પટેલ, એનરિચ નોર્ત્ઝે


રાજસ્થાન રૉયલ્સ
સંજૂ સેમસન



કેએલ રાહુલ અને રાશિદ ખાન પર લાગશે એક વર્ષનો બેન, નહીં રમી શકે છે IPL 2022ની સિઝન, જાણો શું થયો મોટો વિવાદ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) IPL 2022માં કઇ ફ્રેન્ચાઇઝી ટીમ કયા ખેલાડીઓને રિટેન કરશે, આને ફેંસલો 30 નવેમ્બર એટલે કે આજે થઇ જશે. પરંતુ આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે કેએલ રાહુલ અને રાશીદ ખાન પર એકવર્ષનો પ્રતિબંધ લાગી શકે છે. 


બીસીસીઆઇએ તમામ આઠ ફ્રેન્ચાઇઝી ટીમોને 30 નવેમ્બર સુધીની ડેડલાઇન આપી છે, તે પોતાના રિટેન્ડ ખેલાડીઓનુ લિસ્ટ સોંપી દે. હવે આ બધાની વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમોએ બીસીસીઆઇને ફરિયાદ કરી છે કે નવી ફ્રેન્ચાઇઝી ટીમ લખનઉ કેએલ રાહુલ અને રાશિદ ખાનને દબાણ કરી રહી છે. 


ઇનસાઇડ સ્પોર્ટ્સની ખબર અનુસાર, એક બીસીસીઆઇ સીનિયર અધિકારીએ કહ્યું કે -અમને આના વિશે હજુ સુધી કોઇ લેખિત રિપોર્ટ નથી મળ્યો, પરંતુ બે ફેન્ચાઇઝી ટીમોને આની મૌખિક રીતે ફરિયાદ કરી છે કે લખનઉ ટીમ તેના ખેલાડીઓને પૉચ કરી રહી છે. અમે આ મુદ્દા પર ધ્યાન રાખી રહ્યાં છીએ, અને જો આ સાચુ સાબિત થાય છે તો અમે તેના પર ઉચિત એક્શન પણ લેશું. અમે આઇપીએલના બેલેન્સને બિલકુલ હલાવવા નથી માંગતા. 


કેએલ રાહુલે પંજાબ કિંગ્સને છોડવાની ખબર બહુજ પહેલા મીડિયામાં આવી ચૂકી છે, પરંતુ ત્યારે એવુ માનવામાં આવી રહ્યું હતુ કે રાહુલે એક કારણથી ટીમ છોડી કેમ કે તે તેના પ્રદર્શનથી ખુશ ન હતો. જોકે હવે કહાની કંઇક બીજી જ સામે આવી રહી છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર સ્પીનર રાશિદ ખાને પણ ઇચ્છા વ્યક્ત કરી છે કે તે ઓક્શનમાં ઉતરવા માંગશે. પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનુ માનવુ છે કે, આ બન્ને ખેલાડીઓના આ ફેંસલા પાછળ લખનઉ ફ્રેન્ચાઇઝી ટીમનો હાથ છે.