એમએસ ધોની 23 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં પરત ફરી શકે છે. ધોનીએ ઈજાને કારણે IPL 2026 માં એક પણ મેચ રમી નથી. CSK 23 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટકરાશે, જે સીઝનની તેમની સાતમી મેચ હશે. ધોનીની વાપસી CSK માટે ખરેખર સારા સમાચાર છે, પરંતુ તે એક ખેલાડી માટે ખરાબ સમાચાર પણ હશે. જો ધોનીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે છે, તો એક ખેલાડીને બહાર કરવો પડશે. અહીં જાણો કે ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવનમાં ધોની કયા ખેલાડીનું સ્થાન લઈ શકે છે.

જો ધોની ટીમમાં સામેલ થશે, તો કોણ બહાર થશે?

Continues below advertisement
Continues below advertisement

કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઉપરાંત  ચેન્નાઈ સુપર કિંગ્સના ટોપ ઓર્ડરે સારું પ્રદર્શન કર્યું છે. તેથી, સંજુ સેમસન, આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસે પણ ટીમમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. ગાયકવાડ કેપ્ટન છે  જેના કારણે તેને બહાર કરવો મુશ્કેલ બન્યું છે. પરિણામે, ટોચના ચાર સ્થાન મજબૂત દેખાય છે.

બોલિંગ મોરચે  CSK પહેલાથી જ નાથન એલિસ અને ખલીલ અહેમદમાં બે મુખ્ય ઝડપી બોલરો ગુમાવી ચૂક્યું છે. બંને ઈજાને કારણે IPL 2026માંથી બહાર છે. જેમી ઓવરટન અને અંશુલ કંબોજ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે, જ્યારે ગુરજપનિત સિંહ હાલમાં ત્રીજા ઝડપી બોલરની ભૂમિકા ભજવશે. નૂર અહેમદ ટીમનો મુખ્ય સ્પિન બોલર છે. ખલીલ અહેમદની ઈજાએ બોલિંગ વિભાગમાં એક ખાલી જગ્યા છોડી દીધી છે, જે ધોની ભરી શકશે નહીં. જો ધોની સાતમા કે નવમા નંબર પર બેટિંગ કરે તો પણ પાંચ બોલરોની ખાતરી રહેશે.

શું સરફરાઝનું સ્થાન લેશે?

પાંચ બોલર અને ચાર ટોપ-ઓર્ડર બેટ્સમેનોને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવાની ખાતરી છે. મિડલ-ઓર્ડરમાં ફક્ત બે સ્થાનો ખાલી છે. તાજેતરના વર્ષોમાં શિવમ દુબે ટીમનો મુખ્ય ફિનિશર રહ્યો હોવાથી, દુબેનું સ્થાન સુરક્ષિત દેખાય છે. હવે, સરફરાઝ ખાન બાકી છે, જે સારા ફોર્મમાં હોવા છતાં, પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન ગુમાવી શકે છે. સરફરાઝે અત્યાર સુધી IPL 2026માં પાંચ મેચોમાં લગભગ 182 ના તોફાની સ્ટ્રાઇક રેટથી 122 રન બનાવ્યા છે.  ખલીલ અહમદની ગેરહાજરી ફ્રેન્ચાઇઝ માટે મોટો ઝટકો છે. ટીમે અત્યાર સુધી તેની પાંચ મેચોમાંથી બે જીતી છે અને ત્રણ હારી છે.