Aakash Chopra On RCB's Qualification: આઇપીએલની દરેક સિઝનની સાથે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના ફેન્સ આશા રાખે છે કે, તેમની પસંદગીની ટીમ આ વર્ષે આઇપીએલ ખિતાબ જીતશે, પરંતુ છેલ્લા 15 વર્ષોમાં આવુ નથી થઇ શક્યુ. વળી, હવે આઇપીએલની 16મી સિઝન પહેલા પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ આરસીબીને લઇને એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. આકાશ ચોપડાએ કહ્યું કે, કદાચ તે ટૉપ-3માં પણ નહીં પહોંચી શકે. 


‘તે કદાચ ટૉપ-3માં પણ નહીં આવે’
પૂર્વ ભારતીય ખેલાડી આકાશ ચોપડાએ આરસીબી વિશે વાત કરતાં કહ્યું- આ ટીમને ક્વૉલિફાય કરવું જોઇએ, પરંતુ બેંગ્લુરુની સમસ્યા ત્યારે આવે છે, જ્યારે તે ઘરમાં રમવાનુ શરૂ કરે છે. જ્યારે તે નેચરલ વેન્યૂ પર રમે છે, તો એક શાનદાર ટીમ બની જાય છે. આ એક અલગ પ્રકારનો પડકાર હશે. તે શિખર પર હોઇ શકે છે, તે ચારમાંથી છની વચ્ચે ક્યાંય પણ ફિનિશ કરી શકે છે. કદાચ ટૉપ-3માં નહીં આવે. 


બૉલરોને બતાવ્યા મુખ્ય કડી - 
આકાશ ચોપડાએ આરસીબીના બૉલરો વિશે વાત કરતાં કહ્યું- બૉલરોને કૉલમ નક્કી કરવી પડશે કે તમે ક્યાં જશો કેમ કે બેટિંગ લગભગ એકબીજાને રદ્દ કરી દે છે. ખાસ કરીને જ્યારે તમે ઘરમાં રમો છો. પહેલુ નામ વાનિન્દુ હસરંગાનું છે. આના પછી જૉશ હેઝલવુડની ઉપલબ્ધતા પર મોટું સવાલિયા નિશાન લાગી ગયુ છે. 


હેઝલવુડ સાઉથ આફ્રિકા વિરુદ્ધ હૉમ ટેસ્ટ રમતા ઇજાગ્રસ્ત થયો હતો, આના કારણે તે ભારત વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ અને વનડે સીરીઝમાંથી પણ બહાર રહ્યો હતો. આકાશ ચોપડાનુ માનવું છે કે, જૉશ હેઝલવુડ વિના ટીમની બૉલિંગ કડી નબળી બની શકે છે. 


આકાશ ચોપડાએ કહ્યું- હાલના સમયમાં ઓસ્ટ્રેલિયા માટે નથી રમી રહ્યો, એટલા માટે આશા છે કે તે શરૂઆતમાં ઉપલબ્ધ ના હોઇ શકે. જો જૉશ હેઝલવુડ અનુઉપલબ્ધ રહેશે તો વિદેશી ફાસ્ટ બૉલરોનું દળ થોડુ નબળું દેખાય છે. તેને જેસન બેહરનડૉર્ફને મુંબઇ મોકલી દીધો છે.  


આકાશ ચોપડાએ કહ્યું તમે રીસ ટૉપલે, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, સિદ્વાર્થ કૌલ અને હર્ષલ પટેલને જોશો. તેની પાસે કરણ શર્મા અને આકાશદીપ પણ છે. ઘણાબધા નામ છે, તેમાંથી કેટલાક સારા પણ છે. બૉલિંગ સારી લાગી રહી હતી પરંતુ જો જૉશ હેઝલવુડ નથી તો આ ટીમ ખુબ નબળી થઇ જશે, કેમ કે ડેવિડ વિલી આ કમ નહીં કરી શકે.