ટીમ ઇન્ડિયામાં ન થઈ પસંદગી, રણજીમાં જાડેજાએ ફટકારી ડબલ સેન્ચુરી
છેલ્લા કેટલાક સમયથી ટીમમાં સ્થાન મેળવવા નિષ્ફળ રહેલા ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીની ગ્રુપ બીની મેચમાં સૌરાષ્ટ્ર તરફથી રમતા જમ્મૂ-કાશ્મીર સામે 150 રનની શાનદાર ઈનિંગ રમી છે. પહેલા દિવસની રમતના અંતે તે નોટઆઉટ રહ્યો છે અને હજુ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યો છે.
જોકે, આમ છતા જાડેજાને ફરી એકવાર હતાશા સાંપડી છે. રણજી ટ્રોફીમાં રમનાર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સિલેક્ટર્સે સતત ત્રીજી વખત અવગણના કરી છે અને તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે યુવા ખેલાડીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. સિલેક્ટર્સે અશ્વિન-જાડેજાની જોડીનો આરામ લંબાવતા યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જાડેજા ત્રણ મહિના પહેલા વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ કોઈ મેચ રમ્યો નથી. આ દરમિયાન તેણે ટીમમાં પસંદગી ન થતા તેણે સોશિયલ મીડિયા પર આ અંગે નિરાશા પણ વ્યક્ત કરી હતી.
રણજી ટ્રૉફીમાં જાડેજાએ શેલ્ડન જેક્સન (181) સાથે મળીને 281 રનની ભાગીદારી નોંધાવી સૌરાષ્ટ્રને મુસીબતમાંથી ઉગાર્યું હતું. તેણે પોતાની આ ઈનિંગમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.