ક્રિકેટર શ્રીસંતને કોર્ટ તરફથી ન મળી રાહત, આજીવન પ્રતિબંધ રહેશે યથાવત

મંગળવારે કોર્ટે બીસીસીઆઈની અપીલને માન્ય રાખતા શ્રીસંત પર લાગેલ આજીવન પ્રતિબંધ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.ચીફ જસ્ટિસ નવનીતિ પ્રસાદ સિંહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે ચુકાદો આપ્યો છે કે, કોર્ટ બીસીસીઆઈ દ્વારા મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધની ન્યાયિક સમીક્ષા કરી શકે તેમ નથી એટલે બીસીસીઆઈની અપીલને સ્વીકારવામાં આવે છે. કોર્ટે અપીલ પર બે દિવસ સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે.
આ નિર્ણય બાદ બીસીસીઆઈ દ્વારા આયોજીત તમામ મેચમાં નહીં રમી શકે. રણજી ટ્રૉફીની આગામી મેચોમાં કેરળ તરફથી નહીં રમી શકે સાથે જ બીસીસીઆઈ અને કોઈ રાજ્ય ક્રિકેટ સંઘ અંતર્ગત યોજાનારા પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ નહીં લઈ શકે.
નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટર શ્રીસંત પર લગાવામાં આવેલા આજીવન પ્રતિબંધને મંજૂર કરી દીધો છે. મંગળવારે કોર્ટ બીસીસીઆઈની અપીલ પર આ નિર્ણય આપ્યો. અગાઉ કેરળ હાઈકોર્ટે ઑગસ્ટમાં શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.