મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો બધી જ રમત પર લાગૂ થશે. તાજેતરમાં ICCની એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા શ્રીલંકામાં મેચ ફિક્સિંગથી જોડાયેલા કેસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસને કારણે આ ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.
એક ક્રિકેટ વેબસાઈટના હવાલાથી એ જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમત-ગમતના ભ્રષ્ટાચાર માટે દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. તે સિવાય તેને મોટો દંડ પણ ચૂકવવો પડશે.