નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ઇતિહાસામં સૌથી બેસ્ટ ક્રિકેટરોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્યને લઇને ફરી એકવાર અટકળો શરૂ છે, સોશ્યલ મીડિયા પર ધોનીના રિટાયરમેન્ટને લઇને ફરી એકવાર અફવાઓ ઉડવાની શરૂ થઇ ચૂકી છે. ધોનીએ છેલ્લે જુલાઇ 2019માં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ મેચ રમ્યો હતો.


બુધવારે અચાનક ટ્વીટર પર #DhoniRetires ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ જોતજોતામાં ધોનીના ફેન્સ પણ ભાવુક થઇ ગયા હતા, અને તેની શાનદાર કેરિયરને યાદ કરવા લાગ્યા હતા.

વળી, કેટલાક ફેન્સે ધોનીની રિટાયરમેન્ટને લઇને આ વાતોને અફવા ગણાવી હતી. ધોનીના સમર્થનમાં ઉતરીને આવી અફવાઓ પર ધ્યાન ના આપવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ધોનીના સન્યાસની અફવાઓ આ રીતે ઉડી હતી. વર્લ્ડકપ બાદ 2-3 વાર ધોનીના સન્યાસની અફવાઓ ટ્વીટર પર ફેલાઇ હતી, અને તે સમયે પણ ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ.

નોંધનીય છે કે ધોનીની વાપસીને સંકેત આઇપીએલમાં મળ્યા હતા, જોકે, કોરોના વાયરસના કારણે આઇપીએલ સ્થગિત થઇ ગઇ છે, અને ધોનીની વાપસી પર શંકા પેદા થઇ ગઇ છે.