સતત ખરાબ ફોર્મમાં ચાલી રહેલ આ ક્રિકેટરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી, કહ્યું- જો નહીં સુધરે તો હકાલપટ્ટી.....
abpasmita.in | 16 Sep 2019 12:21 PM (IST)
આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ઋષભ પંતની કુશળતા પર અમને કોઈ શંકા નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, જો ઋષભ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર કરેલ ભૂલ આગળ પણ ચાલુ રાખશે તો તેને ભોગવવું પડશે. શાસ્ત્રીએ સીધી રીતે કહેવાને બદલે કહ્યું કે, આ યુવા યુવા વિકેટકીપર બેટ્સમેનને ભારતના વિન્ડિઝ પ્રવાસમાં નિરાશ કર્યા હતા. પંત વનડેમાં પ્રથમ બોલ પર જ આઉટ થઈ ગયો હતો. રિપોર્ટ મુજબ મુખ્ય કોચે કહ્યું કે, ‘હાલ અમે તેમની ભૂલોને માફ કરી રહ્યા છીએ. તે ત્રિનિદાદમાં પહેલા બોલ પર જે રીતે શોટ રમીને આઉટ થયા હતા જો તેનું પુનરાવર્તન કરશે તો તેમને આ વિશે જણાવવામાં આવશે. કુશળતા હોય કે પછી ન હોય નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.’ આ સાથે શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ઋષભ પંતની કુશળતા પર અમને કોઈ શંકા નથી. પરંતુ તેમને શોટ સિલેક્શન અને લાંબી ઇનિંગ રમવા પર ધ્યાન આપવાની જરૂર છે. એક ખેલાડી જ્યારે સતત સારું પ્રદર્શન ન કરે તો ટીમ પર પણ દબાણ વધે છે. ઉલ્લેખનીય છે કે ઋષભ પંત જ્યારથી ટીમમાં સામેલ થયો છે ત્યારથી તેની સરખામણી એમ.એસ.ધોની સાથે કરવામાં આવી રહી છે. પરંતુ સતત ખરાબ પ્રદર્શનના કારણે હવે ઋષભ ટીકાકારોના નિશાન પર છે.