વર્લ્ડકપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હારથી સચિન નિરાશ, નિયમની જગ્યાએ કરી આ મોટી માંગ
abpasmita.in | 17 Jul 2019 01:12 PM (IST)
સચિને આઇસીસીના નિમય સામે વાંધો ઉઠાવતા કહ્યું કે માત્ર બાઉન્ડ્રીના આધારે વર્લ્ડકપ વિજેતા જાહેર કરવાની જરૂર ન હતી
મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડન મળેલી હારથી નિરાશ છે. કિવીની ઘાતક રમતથી પ્રભાવિત થઇને સચિન પહેલીવાર નિવેદન આપ્યુ છે. સચિન બાઉન્ડ્રીના આધારે વિનર જાહેર કરવાના નિયમને લઇને નિરાશા વ્યક્ત કરી છે અને મોટી માંગ કરી દીધી છે. સચિને કહ્યું કે, 'મને લાગે છે કે વિજેતાનો નિર્ણય બન્ને ટીમોમાંથી કોને વધારે બાઉન્ડ્રીઝ ફટકારી, તેની જગ્યાએ વધુ એક સુપર ઓવર કરાવવાની જરૂર હતી. માત્ર વર્લ્ડકપની ફાઇનલ નહીં, દરેક મેચ મહત્વની હોય છે, જેમકે ફૂટબૉલમાં જ્યારે મેચ વધારેના સમયમાં જાય છે તો કંઇ બીજુ વધારે મહત્વનું નથી રહેતુ.' નોંધનીય છે કે, વર્લ્ડકપ 2019ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ બાઉન્ડ્રીના આધારે હારી ગઇ અને ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મેચ ટાઇ થઇ બાદમાં સુપર ઓવર પણ ટાઇ થઇ હતી.