નવી દિલ્હીઃ ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહેલ દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તેને ભારતીય ટીમમાં સ્થાન મળશે, પંરતુ જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે અને તેને તક ન મળે તો પછી ખેલાડીનો ગુસ્સો બહાર આવે છે. સૌરાષ્ટ્ર ટીમના વિકેટકીપર શેલ્ડન જૈક્સને ભારતીય સીલેક્ટર્સને કેટલાક સવાલ કર્યા છે. આ ખેલાડીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સીલેક્ટર્સ પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે અને તેના પર સવાલ કર્યા છે. તેમનું કહેવું છે કે, તેની ટીમ એટલે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવ્યો.


શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું પણ આશ્ચર્યકારક વાત એ છે કે દરેક પ્લેટફોર્મ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરાયો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ ઝીરો છે.

England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super)



England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super)

આ પછી શેલ્ડન જેક્સને બીજુ ટ્વિટ કરતા પસંદગીકાર પર આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે નાના પ્રદેશોની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સિતાંશુ કોટકના કોચિંગમાં 3 ફાઇનલ રમ્યું છે પણ અમને પ્રદર્શન પ્રમાણે ક્રેડિટ મળી નથી.

શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી. તેણે ત્રીજા ટ્વિટમાં લખ્યું હતું કે હું સવાલ નથી કરી રહ્યો પણ મારું માનવું છે કે આપણે આ સુંદર સંગઠન અને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે ખેલાડી જાણવા માંગીએ છીએ કે અમારા પ્રદર્શનમાં ખોટ ક્યાં રહી જાય છે. અમારી ક્રિકેટ કારકિર્દી ફક્ત ચાલી જ રહી છે. પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.