હવે ક્રિકેટમાં સચિનની 10 નંબરની જર્સી કોઈ ક્રિકેટરને નહીં મળે, જાણો વિગતે
ICCના નિર્દેશો અનુસાર, કોઈ એક નંબરને રિટાયર કરવાની અનુમતિ નથી અને ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસેથી આવું કરવા માટેની અનુમતિ લેવાની પણ કોઈ જોગવાઈ નથી. તેથી BCCI બિનઆધિકારિકરીતે આ નંબરની જર્સીને રિટાયર કરશે. નિયમો પ્રમાણે, BCCIને કોઈ જર્સી રિટાયર કરવા માટે ICC પાસે જવું પડશે. આવામાં ટીમના સદસ્યોને અનૌપચારિકપણે કહી દેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નંબરની જર્સી નહીં પહેરી શકાય.
થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.
માનવામાં આવી રહ્યું છે કે BCCIએ હવે આ નંબરની જર્સીને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ટીમના અન્ય કોઈ ખેલાડીને આ નંબરની જર્સી નહીં આપવામાં આવે. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકટથી સંન્યાસ લઈ ચૂકેલા સચિને છેલ્લે માર્ચ 2012માં આ જર્સી પહેરી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સી નંબર-10ને સત્તાવાર રિટાયર કર્યું છે. ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે કોઈ પણ ક્રિકેટર નંબર-10ની જર્સીની સાથે જોવા નહીં મળે. તેંડુલકર નંબર-10ની જર્સી પહેરીને રમવા આવતા અને નવેમ્બર 2013માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. સચિન 10 સિવાય 33 અને 99 નંબરની જર્સીમાં પણ મેદાનમાં દેખાઈ ચૂક્યા છે.