હાર્દિક પંડ્યાની ટીમ ઇન્ડિયામાં વાપસીથી આ દિગ્ગજ ક્રિકેટર ભડક્યા, ઉઠાવ્યો મોટો સવાલ
નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયામાં સામેલ થવા પર ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસકરે સવાલ ઉભા કર્યા છે. જણાવીએ કે, હાલમાં જ બીસીસીઆઈની કમિટિ ઓફ એડમિનિસિટ્રેટર્સે હાર્દિક પંડ્યા અને કેએલ રાહલ પર લગાવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો. તેની સાથે જ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા સાથે ફરી જોડાઈ ગયો છે.
તેમણે જણાવ્યું કે, સવાલ તે ઉદ્ભવે છે કે, હાર્દિક પંડ્યાને શામાટે નિલંબિત કરવામાં આવ્યો હતો અને કોઇ પણ પ્રકારની સુનાવણી વીના નિલંબન શામાટે રદ કરવામાં આવ્યો. શું હાર્દિકે જે કંઇ કર્યુ તેને તમામ લોકો ભૂલી ગયા છે.
ગાવસકરે વિજય શંકરને લઈને પણ સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે, શંકરે અત્યાર સુધીમાં રમાયેલ બે મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યુ નથી. પંડ્યાના પહોંચવા બાદ શંકરની શું સ્થિતિ હશે? શું તેને ભારત પરત મોકલવામાં આવશે.
જોકે સુનીલ ગાવસકરે હાર્દિક પંડ્યાની વાપસી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, તેમની ટીમ સાથે જોડાવવાથી વિજય શંકર પર સવાલ ઉઠાવ્યો છે. ગાવસ્કર અનુસાર, શંકરે અત્યાર સુધીમાં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું છે.