નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે, ટી20 વર્લ્ડકપ શરૂ થાય તે પહેલા સૌથી ફેવરેટ મનાતી ટીમ ઇન્ડિયા અત્યારે સૌથી ખરાબ રીતે ટૂર્નામેન્ટમાં હાર પર હારનો સામનો કરી રહી છે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ઇન્ડિયા અત્યારે પોતાની શરૂઆતી બન્ને મેચો, પહેલા પાકિસ્તાન સામે અને બીજી ન્યૂઝીલેન્ડ સામે હારી ગઇ છે. આ સાથે જ ટ્વીટર પર કેટલાક ખેલાડીઓને જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામા આવી રહ્યાં છે, જેમાં ત્રણ ખેલાડીઓને ભારતની ન્યુઝીલેન્ડ સામેની શરમજનક હારના મુખ્ય વિલન બતાવામાં આવી રહ્યાં છે, અને તેમને ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ચાહકો માંગ કરી રહ્યાં છે...


પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો. સુપર-12 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્રીજી ઓવરમાં ઇશાન કિશન ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં માત્ર 4 રને આઉટ થયો હતો. કિશનના આઉટ થયા બાદ એડમ મિલ્ને એ બીજા જ બોલ પર રોહિત શર્માનો આસાન કેચ છોડ્યો હતો. છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીએ કેએલ રાહુલ (18)ને આઉટ કરતાં ટીમ ઈન્ડિયાને બીજો ફટકો આપ્યો.




સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે.