કોહલી-કુંબલે વચ્ચે છેલ્લા છ મહિનાથી વાતચીત હતી બંધ, લંડનમાં હાર બાદ ત્રણ બેઠક હાથ ધરાઈ હતી
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ બાદ ભારતીય ટીમની હોટલમાં ત્રણ અલગ અલગ બેઠકો થઈ હતી. પહેલી બેઠકમાં કુંબલે અને બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ અને સીએસી સભ્યો વચ્ચે મળી હતી. ત્યાર બાદ તેમણે કોહલી સાથે બેઠક કરી અને ત્રીજી બેઠકમાં કોહલી અને કુંબલે સાથે થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમગ્ર પ્રકરણ દરમિયાન લંડનમાં હાજર રહેલા બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘રિપોર્ટસ મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે સીએસીએ કુંબલેના કાર્યકાળને વધારવા માટે કહ્યું છે પરંતુ તેની સાથે એક શરત પણ હતી. જે મુજબ તમામ વિવાદોના ઉકેલ આવ્યા બાદ કુંબલેને કોચ તરીકે રિટેન કરવો જોઈએ.’
મહત્વપૂર્ણ વાત એવી પણ સામે આવી છે કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની મુખ્ય સલાહકાર સમિતિ(સીએસી)એ પણ કુંબલેનો કાર્યકાળ લંબાવવા માટે સીધી રીતે ગ્રીન સિગ્નલ આપ્યું ન હતું.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલેએ પદ છોડવાની જાહેરાતથી બધા હેરાન છે અને હવે સમાચાર આવ્યા છે કે કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલીની વચ્ચે મતભેદ એટલા વધી ગયા હતા કે બન્ને વચ્ચે છેલ્લા છ મહિનાથી અબોલા હતા. બીસીસીઆઈએ બન્નેની વચ્ચે વિવાદ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બેઅસર રહ્યો અને કુંબલેએ જવું પડ્યું.
આ બેઠકની વાતચીતમાં કોઈ ઉકેલ આવ્યો નહીં. અધિકારીએ કહ્યું કે, ‘આ બંનેએ ગત વર્ષે ડિસેમ્બરમાં ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ પૂર્ણ થયા બાદ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. સમસ્યા હતી પરંતુ તે ચોંકાવનારી વાત હતી કે બંને વચ્ચે 6 મહિનાથી યોગ્ય રીતે વાતચીત નથી થઈ. રવિવારે ફાઈનલ બાદ બંને સાથે બેઠા અને બંને સહમત હતા કે તેમનું એકબીજા સાથે ચાલવું મુશ્કેલ છે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -