World Cup: રવિ શાસ્ત્રીની વિરોધી ટીમને ચેતવણી, કહ્યું- ‘અમારી પાસે છે આ ઘાતક બ્રહ્માસ્ત્ર’
abpasmita.in | 15 May 2019 07:54 AM (IST)
ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ સાસ્ત્રીએ કહ્યું કે, ભારતીય ટીમ પાસે વર્લ્ડ કપ માટે એકથી એક ચઢિયાતા ખેલાડીઓ છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ પાસે એવા અનેક ખેલાડી છે જે સમય આવ્યે પોતાનો પ્રભાવ બતાવશે. કોચનું માનવું છે કે, સ્થિતિ અનુસાર કોમ્બિનેશન નક્કી કરવામાં આવશે. ભરે બીસીસીઆઈએ તમિલનાડુના વિજય શંકરને ચોથા નંબર પર શ્રેષ્ઠ ગણાવ્યો હોય પરંતુ કોચ રવિ શાસ્ત્રીનું માનવું એવું નથી. શાસ્ત્રીએ કહ્યું કે, કોઈપણ ખેલાડીનો ક્રમ હજુ નક્કી નથી. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારી પાસે ટીમમાં ઘણા વિકલ્પ છે. ટીમની જરૂરિયાત મુજબ રણનીતિ તૈયાર કરવામાં આવશે. ચોથા ક્રમે બેટિંગ કરી શકે તેવા અમારી પાસે ઘણા ખેલાડીઓ છે અને આ ક્રમ માટે મેનેજમેન્ટને કોઇ ચિંતા નથી. અમારી પાસે ૧૫ ખેલાડીઓ છે અને તેઓ કોઇ પણ ક્રમે બેટિંગ કરવા માટે સક્ષમ છે. જો કોઇ ઝડપી બોલર ઇજાગ્રસ્ત થાય તો પણ અમારી પાસે તેના વિકલ્પ તૈયાર જ છે. ઓલરાઉન્ડર કેદાર જાધવની ઇજા અને સ્પિનર કુલદીપ યાદવના કંગાળ ફોર્મ અંગે શાસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે આ બાબતે કોઇ ચિંતા કરતા નથી. કેદારને ફ્રેક્ચર થયું નથી અને તે ફિટ થઇ જશે. અમારી પાસે હજુ ઘણો સમય છે. કોહલીના સંદર્ભમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આઇપીએલમાં કરેલા પ્રદર્શનની સુકાની પર કોઇ અસર પડશે નહીં. સ્થાનિક લીગ તથા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આસમાન જમીનનો ફેર હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ રમતની પ્રત્યેક ફોર્મેટમાં ઘણો સુધારો કર્યો છે.